SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મો ધીરેધીરે સ્વામી સહજાનંદે સમાજના નીચલા થરના લેકોના ઉદ્ધારની પ્રવૃત્તિ આદરતાં આ સંપ્રદાય ઘણે જ કપ્રિય બન્યું. તેની લોકપ્રિયતાનાં કારણે નીચે મુજબ ઘટાવી શકાય? (૧) તેમના ઉપદેશમાં ગૂઢ તત્ત્વજ્ઞાનને બદલે ધર્મ અને નીતિના સાદા સિદ્ધાંતો , નજરે પડે છે. (૨) શુદ્ધ વાણું અને આચાર ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. (૩) ઉપદેશ સાદી અને સરળ ભાષામાં અપાય છે. (૪) નીચલા વર્ગના શ્રમનું મહત્ત્વ વિશેષ છે. (૫) સમાજમાં ત્યાગ અને શ્રમનું મહત્ત્વ સમજવી વૈરાગ્યભાવના વિકસાવવાને પ્રયત્ન થાય છે. (૬) ધર્મગુરુઓ સમાજમાંથી અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતા વગેરે દૂર કરી સમાનતા લાવવા પ્રયત્નશીલ છે. (૭) ધર્મનાં દ્વાર સર્વને માટે ખુલ્લાં રાખવામાં આવે છે. શ્રી સહજાનંદ સ્વામીએ આ ધર્મના અનુયાયીઓ માટેની આચારસંહિતા તેમના શિક્ષાપત્રી નામના ગ્રંથમાં સમજાવી છે. તેમાં બસ બાર શ્લોક છે. તેને સાર ટૂંકમાં આ પ્રમાણે છે: “કેઈએ પોતાના મુખે પોતાનાં વખાણ ન કરવાં. અંગ દેખાય તેવાં વસ્ત્રો ન પહેરવાં. સેવકની કાળજી રાખવી. ગુરુ, રાજા, વૃદ્ધ, ત્યાગી વગેરેને માન આપવું. વ્યવહારમાં કોઈના જામીન ન થવું. કરજ ન કરવું. સહીસિક્કા વગર ધન કે જમીનની લેવડદેવડ ન કરવી. પિતાની ઉપજ પ્રમાણે ખર્ચ કરો. ગાળ્યા વિના પાણી કે દૂધ ન પીવું. ઘણું જતુઓવાળા જળાશયમાં નહાવું નહિ. નીચલા વર્ગના લેકેમાં જ્ઞાન અને સદાચારને ફેલા કર. માંસમદિરાને ત્યાગ કર. કેફી વ્યસને ન રાખવાં. આ સંપ્રદાયમાં શ્રી મુક્તાનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ, દેવાનંદ, મંજુષાનંદ વગેરે નેધપાત્ર સંત થયા છે. તેમણે પિતાના ઉપદેશ દ્વારા સ્વામીનારાયણસંપ્રદાયને લોકપ્રિય બનાવ્યો છે. આ સંતોને ઉપદેશ કેવળ એક વિશિષ્ટ વર્ગ માટે મર્યાદિત નથી, પણ તેમાં સમગ્ર લોકસમુદાયને આવરી લેવામાં આવે છે. દરેક માણસ એમાંથી શક્તિ પ્રમાણે બોધ લઈ શકે છે, આ સંપ્રદાયના અનુયાયીઓ બ્રહ્મચારી, સાધુઓ અને ગૃહસ્થ એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. ગમે તે વર્ણના લેકે સાધુ થઈ શકે છે. સાધુઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy