________________
હિંદુધર્મના વિવિધ સંપ્રદા: (સંક્ષિપ્ત પરિચય)
હરિરાયજી કૃત શિક્ષાપત્ર’ મહત્ત્વનાં ગણાય છે. શ્રી વલ્લભાચાર્ય રચિત “મધુરાષ્ટકમ પુષ્ટિસંપ્રદાયના અનુયાયીઓમાં ઘણું જ કપ્રિય છે. (વધુ વિગત માટે વાંચોવલ્લભાચાર્ય, પ્રકરણ-૨). (૫) ચૈતન્યસંપ્રદાય
બંગાળમાં કૃષ્ણભક્તિને ફેલાવો કરવામાં ચૈતન્યને ફાળે ગણે નેધપાત્ર છે. તેમણે જગન્નાથપુરીમાં પિતાનું સ્થાયી જીવન ગાળી અહીંના પ્રદેશમાં કૃષ્ણભક્તિનો મહિમા ગાયો. તેમના મતમાં કઈ તરવજ્ઞાન કે ગૂઢ વિચારસરણી નથી. ચિતન્યની ભક્તિમાં સખીભાવ સવિશેષ જોવા મળે છે. પ્રેમલક્ષણાભક્તિનું આ એક વિશિષ્ટ તત્ત્વ છે. ચૈતન્યસંપ્રદાયમાંથી આગળ જતાં જગહિની નામે એક નવી શાખાને ઉદ્ભવ થયો. (૬) સ્વામીનારાયણ અથવા ઉદ્ધવ સંપ્રદાય
આ સંપ્રદાયના આદ્યસ્થાપક ઘનશ્યામ ભારતના ઉત્તર પ્રદેશને અયોધ્યા પાસેના છપૈયા ગામના રહેવાસી હતા. તેમના પિતાનું નામ હરિપ્રસાદ અને માતાનું નામ પ્રેમવતી હતું. તેમણે નાની વયે સંસારત્યાગ કરી હિમાલયમાં રહી ગવિદ્યાને અભ્યાસ કર્યો હતો. આગળ જતાં તે સહજાનંદ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તેમણે પિતાના મતમાં સમાજના નીચલા વર્ગને મહત્ત્વનું સ્થાન આપ્યું. તેમણે કેઈ નવા સંપ્રદાયને ઉપદેશ કર્યો નથી, પરંતુ ભગવાનની ભક્તિ અને સદાચાર ઉપર ભાર મૂકે છે. આ સંપ્રદાયની વિશેષતા એ છે કે ચતુર્ભ જ નારાયણને બદલે આ સંપ્રદાયના અનુયાયીઓ દ્વિભુજ' નારાયણને ભજે છે. આ સંપ્રદાયના અનુયાયીઓ માને છે કે પરબ્રહ્મ પરમાત્મા એ ઈષ્ટદેવ છે. પૃથ્વી ઉપર એમને સ્વામીનારાયણ સ્વરૂપે આવિર્ભાવ થયા છે.
આ સંપ્રદાયમાં મનાય છે કે મુક્તિ મેળવવા માટે જીવે પરમાત્માના અસલ સ્વરૂપનું જ્ઞાન મેળવવું, તેની બે રીતે સવિકલ્પ અને નિર્વિકલ્પ ઉપાસના કરવી. ભક્તિ એ મુક્તિ માટેનું મુખ્ય સાધન છે. ઈષ્ટદેવની ભક્તિ કરતાં પરમેશ્વર અને બ્રહ્મનિષ્ટ સંતને યોગ થાય છે. આ સંપ્રદાયમાં સત્સંગને મહિમા વિશેષ છે. આથી આ સંપ્રદાયના અનુયાયીઓ સત્સંગી કહેવાય છે. સત્સંગી થનારે અહિંસા, બ્રહ્મચર્ય, મઘત્યાગ, ચોરીને ત્યાગ, માંસને ત્યાગ, સત્ય બોલવું, દાન કરવું વગેરે આચારે પાળવાના હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org