SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મો આમ એતિહાસિક યુગના આરંભથી ધીરેધીરે સમગ્ર ભારતમાં શૈવધર્મને વ્યાપક રીતે પ્રસાર થા. સમય જતાં શૈવધર્મમાં વિવિધ મતે પ્રચલિત થતાં તેની જુદી જુદી શાખાઓ પડી ગઈ. જેવી કે (૧) પાશુપત અથવા માહેશ્વરસંપ્રદાય (૨) કાપાલિક સંપ્રદાય (૩) વિડ સંપ્રદાય (૪) કાશ્મીરીશૈવ સંપ્રદાય (૫) વીરશૈવ સંપ્રદાય (૬) નાથ સંપ્રદાય. આ સર્વ સંપ્રદાય પોતાની આગવી વિચારસરણી તથા વિવિધ પ્રકારના આચારેને લીધે ધીરેધીરે ભારતમાં સ્વતંત્ર રીતે પ્રસર્યા. (૧) પાશુપત અથવા માહેશ્વર સંપ્રદાય શંકરાચાર્યે પોતાના ભાષ્યમાં આ સંપ્રદાયને ઉલ્લેખ કરેલ છે. આ ઉપરથી જણાય છે કે શંકરાચાર્યના વખતમાં બધા સૈ મોટે ભાગે માહેશ્વર તરીકે ઓળખાતા હશે. પશુપતિ મૂળ આચાર્ય હતા. વલભીના રાજાઓ પિતાને માહેશ્વર તરીકે ઓળખાવતા. યુઆન શુઆંગ જેમાં માહેશ્વર પૂજા કરતા હતા એવાં માહેશ્વરનાં મંદિરનું વર્ણન કરે છે. રામાનુજને ભાષ્યમાં આ સંપ્રદાયને પશુપતિના મતે તરીકે ઓળખાવેલ છે. આ સર્વ ઉપરથી જણાય છે કે પ્રાચીનકાલમાં પાશુપત શબ્દ માહેશ્વર પેઠે શિવપૂજક તેમ જ શૈવસંપ્રદાય એમ બે અર્થમાં વપરાતું હોય તેમ લાગે છે. આથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે પાશુપત શબ્દ માહેશ્વરે સાથે સંકળાયેલ છે. હૈસૂરના એક શિલાલેખમાં આ સંપ્રદાયના આદ્યસ્થાપકને લકુલીશ” કહેલ છે. તેઓ ગુજરાતના હતા ને ડાઈ (જિ. વડોદરા) પાસે આવેલ કાયાવરોહણમાં (હાલનું કારવણ) જન્મેલા હતા. ગુજરાતના એક લેખમાં લકુલીશના રૂપમાં શિવના અવતારનું વર્ણન મળે છે. વિ. સં. ૧૩૪૩ (ઈ. સ. ૧૨૮૭) સારંગદેવના લેખમાં જણાવ્યું છે કે “પાશુપતસંપ્રદાયના આચાર્ય લકુલીશ ગુજરાતમાં નર્મદાકિનારે કાયાવરોહણ (કારવણ)માં જન્મ્યા હતા. આ લકુલીશના કુશિક, ગર્ગ, મિત્ર અને કુરુષ નામને ચાર શિષ્ય હતા. આ ચાર શિષ્યની અનુક્રમે ગાર્ગ, કૌશિક, મૈત્રેય અને કૌરુષ એમ ચાર શાખાઓ ચાલી. આ મૈોય ગેત્રવાળા ત્રિપુરાતક અને વાલમીકરાશિ હતા. આ ત્રિપુરાન્તકે યાત્રા કરીને સોમનાથ આવી સોમનાથમાં પાંય દેવાલય બંધાવ્યાં હતાં અને ગંડભાવબૃહસ્પતિને મઠાધિપતિ તરીકે સ્થાપ્યા હતા. આમ ગુજરાતમાં પણ અગિયારમી-બારમી સદી સુધી પાશુપતસંપ્રદાય વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલો હતે. આ સંપ્રદાયના પંચાધ્યાયી, પંચાર્થભાષ્યદીપિકા, રાશિકરભાષ્ય વગેરે ગ્રંથને ઉલ્લેખ કેટલાક પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. લકુલીશ પાશુપત મતને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy