SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મો આ સમયે સંતોએ લોકભાષામાં ગુરુમહિમા વર્ણવ્યો હોવાથી પ્રાદેશિક ભાષાનું મહત્વ વધ્યું. તેના લીધે સમાજના ઉપેક્ષિત વર્ગોમાં પણ ધર્મભાવના વિકસી. અખા જેવા અનેક સંતોએ સાચા ગુરુની શોધ કરવા પ્રયત્ન કર્યા, પરિણામે દંભી ગુરુઓનાં પાખંડ સમાજ આગળ છતાં થયાં. સમાજમાં ધાર્મિક -સભાનતા આવવાથી સંતની વાણી તેમના હૃદયના ઊંડાણમાં ઊતરી ગઈ. તેના પરિણામે નાતજાતના ભેદભાવ દૂર કરી સમાજમાં સમાનતા આણવાની તમન્ના પ્રજામાં જાગ્રત થઈ. આ યુગમાં ઘણું અજ્ઞાત સંતો અને લોકકવિઓએ પિતાની સાદી સીધી ભાષામાં રચનાઓ કરી ભક્તિને પ્રવાહ વહેતે રાખે. આમાં કેવળ હિંદુઓને ફાળો હતો એમ નહિ. અનેક મુસ્લિમ સંતોએ પણ સમાજમાં ધાર્મિક ચેતના ટકાવી રાખવામાં મહત્તવને ભાગ ભજવ્યું છે. ટૂંકમાં આ સમયે તેઓ માર્ગ ભૂલેલી પ્રજાને સન્માર્ગે વાળવા પ્રયત્ન કરી સાચા ધર્મનું જ્ઞાન આપ્યું. તેઓ અનેક પ્રકારના રાજકીય અવરેને સામને કરી પિતાના કાર્યને ચાલુ રાખ્યું. આની અસર મિત્ર, ધર્મ, ભાષા, સાહિત્ય ઉપર વર્તાવા લાગી. સમાજમાં વિવિધ વર્ણો વચ્ચે મુક્ત વહેવાર અને આત્મશ્રદ્ધા વધ્યાં. આમ હિંદુધર્મના વિકાસમાં પ્રાંતિ પ્રાપ્ત થયેલા જુદા જુદા સંતોએ મહત્ત્વને કાળો આપ્યો હતો. આ સર્વ સતએ રાજકીય અત્યાચારના આ યુગમાં જ્ઞાન અને ભક્તિના દીવડા પ્રગટાવી એકેશ્વરવાદ અને ગુરુમહિમા વિકસાવ્યો. તેમને પ્રયત્નોથી જ હિંદુધર્મને વેદકાળથી ચાલુ રહેશે પ્રવાહ ટકી શકો. મરણતોલા સ્થિતિમાં મુકાયેલા હિંદુધર્મને નવજીવન મળ્યું. આથી જ હિંદુસંસ્કૃતિ એ સતની સંસ્કૃતિ કહેવાય છે. નવજાગૃતિને યુગ હિંદુધર્મ એ કેવળ વેદ, પુરાણે કે સાધુસંતોને ધર્મ નથી, પરંતુ અર્વાચીન સુધારકને ધર્મ પણ છે. અર્વાચીન સુધારકોએ પણ હિંદુધર્મને વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ૧૯મી સદીની શરૂઆતમાં આપણા દેશમાં જે નવજાગૃતિ આવી તેની અસર આપણી ધર્મભાવના પર પણ પડી. પશ્ચિમની અસર નીચે નવી કેળવણુ પામેલા આપણું સુધારકેએ નાતજાત અને સંપ્રદાયના ભેદભાવ છેડી દઈને વિશ્વકુટુંબ અને વિશ્વમાનવને આદર્શ રજૂ કર્યો. આ નવી વિચારસરણીના મૂળમાં અંગ્રેજી કેળવણ હતી. અંગ્રેજી કેળવણીનાં ત્રણ ત - હતાં (૧) પાશ્ચાત્ય ધર્મગ્રંથોને અભ્યાસ. (૨) પાશ્ચાત્ય વિજ્ઞાન અને દર્શને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy