SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ સમયમાં હિન્દુસમાજમાં ઉપનયન, લગ્ન જેવા સંસ્કારે હેતવિહિન બની ગયા છેનષ્ટપ્રાયઃ અવસ્થામાં છે. આ પરિસ્થિતિમાં સંસ્કારને હિંદુધર્મને લક્ષણ તરીકે ઘટાવી શકાય નહિ. કેટલાક વિદ્વાને હિંદુધર્મને કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતને હિંદુધર્મના એક લક્ષણ તરીકે ઓળખાવે છે, પણ એ બરાબર હોય તેમ લાગતું નથી કારણ કે જૈનધર્મ, બૌદ્ધધર્મ, શીખધર્મ જેવા ધર્મો પણ કર્મના સિદ્ધાંત ઉપર રચાયા છે. કેટલાક વિદ્વાને મૂર્તિપૂજા, ગાયપૂજા, કુલદેવતાની પૂજાને હિંદુધર્મનું લક્ષણ ગણાવે છે. ગાયને જરથોસ્તીઓ પવિત્ર માને છે. હાલની પરિસ્થિતિમાં આ સર્વ પૂજા સમાજમાંથી લગભગ અદશ્ય થવા આવી છે. કુલદેવતાની પૂજા અર્ધ–સુધરેલા અને ટાળી બાંધી વસતા ઘણું પ્રાચીન લેકમાં જોવામાં આવે છે. આ જોતાં તેને પણ હિન્દુધર્મના લક્ષણ તરીકે ઓળખાવી શકાય નહિ. હિંદુધર્મના શાસ્ત્રગ્રંથમાં કોઈ ઠેકાણે હિંદુધર્મ એવું નામાભિધાન જોવા મળતું નથી. હિંદુધર્મનાં પ્રમાણભૂત શાસ્ત્રોમાં વ્યાપક અર્થમાં ધર્મને જ પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ઉપનિષદમાં કહ્યું છે કે સત્ય વર ઘઉં જરા મહાભારતમાં વેદવ્યાસ પણ કહે છે કે તે વસ્તૉા ગય: | હિંદુ શાસ્ત્રકારને મન ધર્મ એ સમગ્ર વિશ્વને ધારણ કરનારી-ટકાવી રાખનારી-મહાન શક્તિ છે. આમ હિંદુધર્મનું લક્ષણ બાંધવા જતાં અનેક મુશ્કેલીઓ આવે છે. ઉપર જણાવેલ કેઈ એક લક્ષણને હિંદુધર્મના લક્ષણ તરીકે ઘટાવી શકાય નહિ. આ અંગે શ્રી આનંદશંકરભાઈ ધ્રુવ જણાવે છે કે “જ્યારથી આર્યો સિંધુ નદીના પ્રદેશમાં વસતા થયા અને ધીરેધીરે અન્ય પ્રજાઓના સમન્વયથી તેમણે પિતાની સ્વતંત્ર જમાવટ કરી ત્યારના સ્વરૂપથી માંડીને એક જીવંત શક્તિ તરીકે એ ધર્મમાં જે જે ધાર્મિક વિકાસ થે, તે સર્વને આપણે હિંદુધર્મ” એવું નામ આપીશું. અને એ ઈતિહાસના એક ખંડને જે કઈ પિતાને માને છે તે સર્વને આપણે હિંદુ' તરીકે ઓળખવા જોઈએ.' ટૂંકમાં હિંદુસ્તાનમાં વસેલા પ્રાચીન આર્યોને ધર્મ તે હિંદુધર્મ, એ આર્યો જે ધર્મ પાળતા અને એમાંથી જ દહાડે જે ધર્મને વિકાસ થયો એ સર્વને આપણે હિંદુધર્મમાં સમાવેશ કરીશું. વેદકાલથી માંડીને મધ્યયુગના આચાર્યો, સાધુસંતે અને અર્વાચીન યુગના ધર્મસુધારાએ ધર્મની બાબતમાં જે ક્રમિક વિકાસ સાધ્યો છે તેનું નામ હિંદુધર્મ છે. જેઓ વદે, રામાયણ, મહાભારત, પુરાણ, સ્મૃતિઓ વગેરે ધર્મગ્રંથોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy