SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ ભારતીય ધર્મો પશ્ચિમના કેટલાક જિજ્ઞાસુઓ તથા મુમુક્ષુઓ વિવેકાનંદ કે ગાંધીજી જેવાના પ્રભાવથી ભારતીય ધર્મ અને દર્શને તરફ આકર્ષાયા. એમાં બૌદ્ધધર્મ તથા વેદાન્ત દર્શને મહત્ત્વને ભાગ ભજવ્યો. હવે જૈનધર્મે પણ થોડીક શરૂઆત કરી છે. અમેરિકામાં તે હરકેઈ નવા નવા સંપ્રદાયને અનુયાયીઓ મળી રહે છે. એ રીતે ત્યાં હરેકૃષ્ણ સંપ્રદાય લોકપ્રિય થયે. મહેશગીને ધ્યાનયોગ અને આચાર્ય રજનીશજીને પ્રેમગ પણ લોકપ્રિય બન્યા છે. એકતરફ પ્રવાહ તે વિકસિત સંસ્કૃતિ તરફથી અવિકસિત સંસ્કૃતિ તરફ જ વહે. ભારતીય સંસ્કૃતિમાં સત્ત્વ હોય તો તેને કંઈ પણ પ્રભાવ પશ્ચિમ પર પડે. શરૂઆતમાં લાધવ ગ્રંથિથી ભારતીયને પોતાની સંસ્કૃતિને ઊતરતી ગણી પશ્ચિમની સંસ્કૃતિથી અંજાઈ જતા. ધીરે ધીરે રાષ્ટ્રિય અસ્મિતા વિકસતાં તેઓએ પશ્ચિમના વિચારકે પર પણ કંઈ પ્રભાવ પાડ્યો. તેમને હવે સમજાવા લાગ્યું છે કે ભારતીય ધર્મોમાં અનેક સારાં તત્ત્વ છે. તેઓ સહિષ્ણુતા સાથે -સમભાવ અને બંધુભાવ પણ રાખે છે. જુદા જુદા ધર્મો એકબીજાના સમાગમમાં આવે ને એકબીજાને મદદગાર થાય એવી તેની માન્યતા છે. પશ્ચિમની સંસ્કૃતિની ભારતીય સમાજ ઉપર જેટલી સારી અસર થઈ છે તેના કરતાં ખરાબ અસર સવિશેષ થઈ છે. પશ્ચિમની સંસ્કૃતિએ નારી પ્રતિષ્ઠાના બહાને ભારતીય પ્રજાની નીતિનાં ધોરણમાં શિથિલતા આણી. સંયુક્ત કુટુંબ પ્રથા નષ્ટ થતાં લગ્નોમાં ગોત્ર, પ્રવર, લોહીની શુદ્ધતા વગેરેને જે આગ્રહ રાખવામાં આવતા હતે તે દૂર થતાં સ્ત્રી પુરુષના પસંદગીના ખ્યાલ બદલાયા. તેના પરિણામે સમાજમાં લગ્ન-વિચ્છેદના પ્રશ્નો ઉપસ્થિત થવા લાગ્યા. સમાજમાં ધર્મ અને વ્યવહાર વચ્ચે માટે તફાવત પડ્યો. વ્યવહારમાં જેને નીતિ તરીકે ઘટાવવામાં આવી તે ધર્મની દૃષ્ટિએ અતીતિ કહેવાઈ. આવી પરિસ્થિતિ સર્જાતાં સમાજમાં દાનધર્મ વગેરેની ભાવનામાં ઓટ આવી. દેશમાં નીતિ અને સદાચારનાં ધોરણે મંદ પડતાં વેપારમાં અનીતિ અને શિથિલતાએ પ્રવેશ કર્યો. ભારતીય પ્રજાની શાખમાં મા ઘટાડો થશે. સરકાર તરફને કરબેજ વધતા પ્રજામાં કચેરીનું પ્રમાણ વધવા લાગ્યું. સામાન્ય માનવીની આવકનું પ્રમાણ ઘટતાં સમાજમાં અમીર અને ગરીબ વર્ગો વચ્ચે સંઘર્ષ વધવા લાગ્યો. વેપારીઓની સાહસિક વૃત્તિ નાશ પામી. દેશમાં આર્થિક અસમાનતા વધવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy