________________
ભારતીય ધર્મો પર પશ્ચિમની સંસ્કૃતિની અસર.
આધુનિક ભારતને સાંસ્કૃતિક ઈતિહાસ એકબીજાથી અનેક રીતે ભિન્ન એવા. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના બે પ્રવાહના મિલનને ઈતિહાસ છે. એનાં પરિણામે માનવ મૂલ્યની દૃષ્ટિએ ઘણું જ લાભદાયક નીવડ્યાં છે. કેઈ પણ. પ્રજાની સંસ્કૃતિ એ એની ભૌગોલિક, આર્થિક કે રાજકીય પરિસ્થિતિને આધારે વિકસે છે. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં તેના ભેગેલિક અને રાજકીય પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. લગભગ બે વર્ષ સુધી ચાલેલા બ્રિટિશ અમલે ભારતીય પ્રજાની રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિના માળખાને પાયામાંથી બદલી નાખ્યું છે, ભારતીય પ્રજા પશ્ચિમની પ્રજા સાથે સંપર્ક વધતાં પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાવા લાગી. અંગ્રેજી શિક્ષણપ્રથાથી પશ્ચિમની સંસ્કૃતિ પ્રત્યે ભારતીય પ્રજાનું આકર્ષણ વધવા લાગ્યું.
બ્રિટિશ શાસન પૂર્વે ભારતમાં રાજ્ય અને પ્રજા વચ્ચેના સંબંધે હંમેશાં ખાસ સારા ન હતા. બ્રિટિશ શાસન દરમ્યાન ભારતમાં કાનૂની અર્થતંત્ર આવ્યું. પશ્ચિમના અર્થતંત્રની અસર વ્યાપક બનતાં ભારતીય પ્રજાનાં જીવન મૂલ્યો બદલાવા લાગ્યાં. સમાજમાં માનવ સમુદાય (૧) પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાયેલ અને (૨) પૂર્વની સંસ્કૃતિને વળગી રહેલ–એમ બે વિભાગમાં વહેચાઈ ગયે. પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાયેલ માનવી પૂર્વની સંસ્કૃતિના અનુયાયીને અણઘડ, તુચ્છ અને જડ માનવા લાગ્યા. સામાન્ય પ્રજાના જીવનવ્યવહારમાં તેને સંસ્કારહીનતા દેખાવા લાગી. પરિણામે તેને સામાન્ય વહેવાર અને નતિનાં ધોરણે બદલાવા લાગ્યાં. આથી માનવી માનવી વચ્ચે, કુટુંબ કુટુંબ વચ્ચે સંઘર્ષ વધે. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ભેદ સમાજમાં સ્પષ્ટ રીતે વર્તાવા લાગ્યા. ઘણું પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવા લાગ્યા, તે ઘણું પ્રાચીનકાળથી ચાલી આવતી. આધ્યાત્મિક વિચારસરણીને વળગી રહ્યા. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો તફાવત
સંસ્કૃતિને પૂર્વ શું અને પશ્ચિમ શું ? તે તે દેશકાળ અને પ્રજાના ભેદથી. પર રહેલી બાબત છે. જ્યાં જ્યાં માનવ સમુદાય વસતે હશે ત્યાં ત્યાં સંસ્કૃતિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org