SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મો રોમન કૅથલિક સાથે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયનાં વિવિધ મિશને પણ ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કાર્ય કરતાં હતાં. ગુજરાતમાં લંડન મિશનરી સોસાયટીની પ્રવૃત્તિઓ ઈ. સ. ૧૮૬૦ સુધી ચાલુ હતી. આઈરિશ સ્કિટેરિયન મિશન (આઈ. પી. મિશન) તેના કાર્યની શરૂઆત ગુજરાતમાંથી કરી હતી. એસ. પી. જી. મિશનએ ધર્મપ્રચારનું કાર્ય આઈ. પી. મિશનને સંપ્યું હતું. ઈ. સ. ૧૮૭૨માં મેડિસ્ટ ચર્ચની શરૂઆત થઈ. ઈ. સ. ૧૮૮૦માં સી. એમ. એસ. (The Church Missonary Society)એ ગુજરાતમાં પોતાની પ્રવૃત્તિ શરૂ કરી. ઈ. સ. ૧૮૮૨માં સાશન આર્મી. ઈ. સ. ૧૮૮૩માં એલાયન્સ મિશન અને ચર્ચ ઔફ બ્રધન એમ વિવિધ મિશને ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કાર્ય કરતાં હતાં. આના હિસાબે ઘણું આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતે. ટૂંકમાં પંદરમી સદીથી ઓગણીસમી સદી દરમ્યાન ભારતમાં ખ્રિસ્તી ધર્મ ધીરેધીરે વિકસ્યો હતો. ખ્રિસ્તી ધર્મગુરુઓનું મુખ્ય કાર્યક્ષેત્ર ભારતની આદિવાસી પ્રજા વચ્ચે હતું. ખ્રિસ્તી મિશનરીઓએ ભારતને સવર્ણ અને આદિવાસી તરીકે ઓળખાતી પ્રજા વચ્ચેના સંબંધનું સ્વરૂપ સમજી લઈ ખ્રિસ્તી ધર્મને પ્રચાર આરંભ્યો હતે. અનેક પ્રલોભને તેમણે આપી સમાજની તિરસ્કૃત પ્રજાને લલચાવી -ધર્માન્તરની પ્રવૃત્તિ આચરી હતી. તેમાં તેમને અંગ્રેજ શાસનને સંપૂર્ણ સાથ મળ્યો હતો. તેના પરિણામે ભારતના પછાત વર્ગોએ પ્રેમથી ખ્રિસ્તી ધર્મ - અપનાવ્યા હતા. ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તી ધર્મ તે એશિયા ખંડમાંથી ઉદ્ભવેલો એક નોંધપાત્ર ધર્મ છે. સેમેટિક પ્રાને યહૂદી ધમ પછી આ એક મહત્તવને ધર્મ છે. સભ્યસંખ્યાની દૃષ્ટિએ હાલમાં સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તીધામ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેના મુખ્ય પ્રવર્તક - ઈસુ ખ્રિસ્ત હતા. ઈસુ ખ્રિસ્ત ભગવાન બુદ્ધની, જેમ કેઈ નો સ્વતંત્ર ધર્મ પ્રવર્તાવ્યો નથી પણ પિતાના જમાનાને અનુરૂપ પ્રાચીન ધર્મભાવનાને નવા સ્વરૂપે વિકસાવી. ઈસુના જન્મ સમયે પ્રચલિત યહૂદી ધર્મ ફારિસી, સેડયુસી, ઈસી અને થેરાપ્યુટી એવી જુદી જુદી શાખાઓમાં વહેંચાઈ ગયો હતો. દરેક ધર્મમાં બને છે તેમ આ ધર્મમાં પણ પ્રજાની અજ્ઞાનતાના લાભ લઈ ધર્મગુરુઓ પ્રજાનું શોષણ કરતા હતા. સમાજમાં ચારેબાજુ ધાર્મિક અત્યાચારો પ્રવર્તતા હતા. રાજવીઓ ઉપર પણ ધર્મગુરુઓનું વર્ચસ જામી ગયું હતું. તેઓ પણ ધર્મગુરુઓના આદેશ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy