________________
જરથોસ્તી ધર્મ
અને પતિવ્રતા પણ સ્ત્રીને સૌથી મહાન ગુણ મનાય છે. જ સ્તી સમાજમાં પડદાપદ્ધતિ પ્રચલિત નથી. સામાન્ય રીતે સ્ત્રીઓ મિલકત ધરાવી શકતી નથી. સ્ત્રીઓને આજીવિકા અર્થે નેકરી કરતાં કઈ રકતું નથી. સામાન્ય રીતે કુટુંબમાં સ્ત્રી કરતાં પુરુષનું વર્ચસ વિશેષ હોય છે. સામાન્ય રીતે લગ્નો માતાપિતાની સંમતિથી ગોઠવાય છે.
જરાતી સમાજમાં છૂટાછેડા માટે હિંદુઓનાં જ્ઞાતિપંચે જેવી અદાલતે હોય છે. અદાલતને પ્રતીતિ થાય કે પતિ-પત્ની ત્રણ વર્ષથી એકબીજાને મળ્યાં નથી તો તેમને છૂટાછેડાની છૂટ આપે છે. છૂટાછેડાથી સામાજિક પ્રતિષ્ઠા ઘટે છે, એવી કઈ માન્યતા આ સમાજમાં પ્રચલિત નથી. આંતરરાષ્ટ્રિય લો તરફ પારસીએ ઘણી જ નફરત ધરાવે છે. છતાં આવું લગ્ન કરનારને કેઈ અટકાવતું નથી.
માનવીના મૃત્યુ સમયે દીપ પ્રગટાવી સુખડ કે લોબાન ધૂપ કરવામાં આવે છે. બેદને બોલાવી અહુરમઝની પ્રાર્થના કરવામાં આવે છે. મરનારના શરીરને તેના અંતિમ સમયે ભીના વસ્ત્રથી સાફ કરવામાં આવે છે. મૃત્યુ બાદ શબને પાણી અડકાડવામાં તેઓ પાપ માને છે. મરનારના દેહ ઉપર ગૌમૂત્ર છાંટી તેને શબવાહિનીમાં મૂકવામાં આવે છે. માનવીનાં ભલાંબૂરાં કાર્યોની નોંધ
હુમને નામને ફિરસ્ત રાખે છે અને મૃત્યુ પામ્યા પછી ચોથા દિવસે માનવી કાર્યોને ન્યાય કરવામાં આવે છે એમ અહીંના પારસીઓ માને છે. હિંદુઓમાં પણ માનવીનાં સારાનરસાં કાર્યોની નેધ ચિત્રગુપ્ત રાખે છે અને તેને આધારે માનવીને સ્વર્ગ કે નરકમાં મોકલવામાં આવે છે. પારસીઓ માને છે કે મરનાર જે પુણ્યશાળી હશે તે તે વિનવત પુલ પસાર કરી શકશે. હિંદુઓમાં પણ આવી જ માન્યતા છે કે પુણ્યશાળી માનવી વૈતરણી નદી સરળતાથી પાર કરી શકે છે. આમ હિંદુ અને પારસીઓની મરણોત્તર માન્યતા અને વિધિમાં ઘણું જ સામ્ય રહેલું છે.
પ્રાચીનકાળમાં ઈરાનમાં ગુલામીની પ્રથા પ્રચલિત હતી તેથી ધર્મશાસ્ત્રમાં ગુલામ તરફ સદ્ભાવ બતાવવાને ઉલેખ મળે છે, પણ વર્તમાન સમયમાં ભારતમાં ગુલામીની પ્રથા પ્રચલિત ન હોવાથી ગુલામ વિશેના કેઈ ઉલેખે ખાસ જેવા મળતા નથી. નેકરે પ્રત્યે માન અને સભાવ કેળવવાને આ ધર્મમાં આગ્રહ રાખવામાં આવ્યું છે.
પારસીઓ સ્વચ્છતાના ખાસ આગ્રહી છે. તે સાથે તેઓ અગ્નિને પવિત્ર અને મહાન શક્તિ માને છે. કુદરતનાં કોઈ પણ તને અશુદ્ધ કરવામાં તેઓ સં૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org