SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શીખે હમ જોયું કે કેટલાક બ્રાહ્મણે અંધશ્રદ્ધાથી સૂર્યની સામે ગંગાજળ ઉછાળે છે. તેમણે પણ તેનું અનુકરણ કરી પિતાના ગામની તરફ મુખ રાખી પશ્ચિમ દિશામાં પણ ઉછાળવા માંડયું. લેકિએ આશ્ચર્યથી પૂછયું કે તમે આ શું કરે છે ? તે જવાબ આપ્યો કે મારા ગામનાં ખેતરને પાણી પાઉં છું.” લેકે આ સાંભળી હસવા લાગ્યા ત્યારે તેમણે કહ્યું કે “તમે જે હજારે કેશ દૂર રહેલા સૂર્યને પાણું પહોંચાડી શકે છે તે હું બસો કેશ દૂર રહેલા મારા ગામના ખેતરને પાણી નહિ પહોંચાડી શકું ?” લેકેને અંતે નાનકની સાચી વાત સમજાઈ. નાનક પ્રવાસ દરમ્યાન મક્કા ગયા હતા. આ સમયે ત્યાં અનેક ભારતીય મુસલમાને હજ કરવા આવ્યા હતા. નાનક ત્યાં એક મસ્જિદમાં ઊતર્યા. રાત્રે કાબારની તરફ પગ રાખીને ઊંઘી ગયા. ત્યાંના એક અધિકારીએ કહ્યું, “અલ્યા તું કેણ છે? ખુદાના ઘરની તરફ પગ રાખીને કેમ સૂતે છે ? નાનકે જવાબ આપ્યું, “ભાઈ જે દિશામાં ખુદાનું ઘર ન હોય ત્યાં તું મારા પગ મૂક.” અધિકારીએ તેના પગ પકડી જે જે દિશામાં ફેરવ્યા ત્યાં સર્વત્ર તેને “કાબાને પથ્થર (ખુદાનું ધામ) દેખાશે. આ કેઈ ચમત્કારી માણસ છે એમ માની તેણે ત્યાંના ફકીરને વાત કરી. અંતે તેઓ સર્વ નાનકને પ્રેમી બની ગયા. મુઘલ બાદશાહ બાબરે પણ નાનકના ઉપદેશથી પ્રજા પર અત્યાચાર બંધ કર્યો હતો. આવા ઘણું પ્રસંગેએ નાનકે ચમત્કાર બતાવી અનેકને સમાર્ગે વાળ્યા હતા. યાત્રા દરમ્યાન તેમને શિષ્ય મર્દાના સતત સાથમાં રહેતા. તે સારંગી વગાડતા, નાનક ભજન ગાતા. આમ નાનકે લગભગ ત્રીસ વર્ષ સુધી પૂર્વમાં આસામ, દક્ષિણમાં લંકા, ઉત્તરમાં તિબેટ, પશ્ચિમમાં દ્વારકા અને વાયવ્યમાં મક્કા-મદીના, બગદાદ વગેરે સ્થળોએ ફરીને સતનામને મહિમા ગાય. પ્રવાસ દરમ્યાન તેમણે અનેક હિંદુ, મુસલમાને, જેને, નાથગીઓ, વામમાર્ગી શાક્ત, સૂફીએ નાના મોટા અનેક પંથને ધર્મના માર્ગે વાળ્યા. ઈ. સ. ૧૫૩૯ના સપ્ટેમ્બરની સાતમી તારીખે તેઓએ ૭૦ વર્ષની ઉંમરે સમાધિ લીધી. ધર્મને ઉપદેશ કરતી વખતે તેઓ સંગીતને ઉપયોગ કરતા. નાનકને આંગણે હિંદુમુસ્લિમ શિષ્યોને મેળે જામતો. આજે આ જગ્યા “નાનકાના દહેરાના નામે પ્રસિદ્ધ છે. ભારતીય સમાજજીવન પર નાનકના વિચારોની અસર નેધપાત્ર છે. નાનકને ઉપદેશ નાનકની ઉપદેશ કરવાની પદ્ધતિ બુદ્ધ અને મહાવીરની જેમ સાદી, સરળ, અને લોકભોગ્ય હતી. તેમણે લેકભાષામાં ભજને, પદ અને કીર્તને રચીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy