SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ભારતીય ધમ કરે છે. દિગ ંબર સાધુઓ તેમના તીથ કરાની પ્રતિમાઓને વસ્ત્ર વગરની રાખે છે. (૨) દિગંબરા સ્ત્રીઓના મેક્ષમાં માનતા નથી, જ્યારે શ્વેતાંબરા સ્ત્રીઓના મેક્ષમાં માને છે. (૩) દિગબરા માને છે કે મહાવીર અપરિણીત હતા જ્યારે શ્વેતાંબરા તેમને પરિણીત માને છે. તેમને એક પુત્રી હતી એમ સ્વીકારે છે. (૪) શ્વેતાંબરે દ્વાદશાંગા અને અન્ય ધર્મગ્ર ંથાને પ્રમાણિત માને છે જ્યારે દિગ ંબરા માને છે કે મૂળ ગ્રંથા ધણા વખત પહેલાંથી નાશ પામ્યા છે. (૫) શ્વેતાંબરા માને છે કે સર્વજ્ઞ અને મુક્ત કેવલજ્ઞાનીએ આહાર કરતા હતા. દિગંબરા આ વાત સ્વીકારતા નથી. (૬) શ્વેતાંબર સાધુએ જુદા જુદા ધરામાંથી ભોજન વહારે છે જ્યારે દિગ ંબર સાધુએ પોતાના સંકલ્પ પૂર્ણ કરે તેવા એક જ ઘરમાંથી ખાવાનું સ્વીકારે છે અને ઊભા રહીને ખાય છે. (જૈન દર્શન,’ પૃ. ૪૦) આમાંના ઘણાને કાઈ અતિહાસિક પ્રમાણ મળતું નથી. સ ંભવ છે કે જૈન સાધુએમાં આચારવિચારમાં મહાવીર પછી ધીરેધીરે મતભેદ પડયા હશે અને ધીરેધીરે તેમણે કાયમી સ્વરૂપ ધારણ કર્યું હશે. આ શાખાઓમાં પણ સમય જતાં અનેક શાખાઓ અને પેટા શાખાએ અસ્તિત્વમાં આવી. શ્વેતાંખર સપ્રદાયની શાખાએ શ્વેતાંબર સંપ્રદાયમાં ત્રણ પ્રકારની શાખાએ પ્રચલિત છે : (૧) મૂર્તિ પૂજક (૨) સ્થાનકવાસી (૩) તેરાહપથી. મૂર્તિ પૂજક સ ંધના અનુયાયીએ શ્વેત વસ્ત્રો તથા કીમતી અલંકારો ધારણ કરેલ મદિરની પ્રતિમાઓની પૂજા કરે છે. તે મંદિરમાં રહે છે. દ્રવ્ય વગેરેના સંગ્રહ કરે છે. અન્યને ત્યાંથી આવેલા ભેજનને સ્વીકાર કરે છે. પૂજામાં સુગ ંધી બ્યા તથા ધૂપના ઉપયોગ કરે છે, આ લેાકા ચૈત્યવાસી તરીકે ઓળખાય છે, આ સધમાં સમય જતાં જુદી જુદી વિચારસરણીવાળા નીચેના કેટલાક ગા અસ્તિત્વમાં આવ્યાઃ (૧) ઉષકેશ ગચ્છ—આ ગચ્છ તીર્થંકર પાર્શ્વનાથ સાથે સંબંધ ધરાવે છે. સામાન્ય રીતે તેએ! પાર્શ્વનાથના અનુયાયી તરીકે ઓળખાય છે, (૨) ખરતર ગચ્છ—આ ગચ્છ વધુ માનસૂરી સાથે સ ંબંધ ધરાવે છે. આ શાખાના અનુયાયીએ રાજસ્થાન અને બંગાળમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. (૩) તપા ગચ્છ——શ્વેતાંબર સંપ્રદાયમાં આ ગચ્છનું મહત્ત્વ સવિશેષ છે. આ ગુચ્છના સ્થાપક જગચંદ્રના તપથી પ્રભાવિત થઈ સ્થાનિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy