________________
જૈનધર્મ
૧૦૭
સર્જન કર્યું છે. જગતના સર્વ પ્રાણીઓનું ભાવિ તેના હાથમાં છે. દરેકને સારાં– નરસાં કર્મોને તે બદલે આપે છે. માનવીના ઈશ્વર વિશેના ખ્યાલો પણ જુદે જુદે સમયે બદલાતા રહ્યા છે. સંસ્કૃતિને ઉગમ કાળમાં માનવી અગ્નિ, વાયુ, સૂર્ય, વરસાદ જેવાં પ્રકૃતિનાં તત્તને ઈશ્વર તરીકે પૂજતો, કારણ કે આ ત દ્વારા માનવીના જીવનને વિકાસ થતું હતું. આથી તે આવાં તને વેદ, તેમ જ યજ્ઞો દ્વારા બલિ વગેરે અર્પણ કરી પ્રસન્ન કરવા ઈચ્છતે. તે એમ માનતે કે આ દ્વારા અહિક સુખો પ્રાપ્ત થાય છે.
. આ પછી જેમ જેમ માનવી નવી નવી શોધખોળ કરતે ગયે, તેના જ્ઞાનમાં વધારે થતો ગયો તેમ તેમ ઈશ્વર વિશેના તેના ખ્યાલો બદલાતા ગયા. હિંદુધર્મમાં ઈશ્વર વિશેના ખ્યાલે તપાસીએ તે જણાય છે કે પુરાણે અને પૌરાણિક કથાઓમાં ઈશ્વરનાં જે સ્વરૂપોની કલ્પના કરેલી છે તે વિવિધ પ્રકારની છે. ઘણું વિષ્ણુ અને શિવને મુખ્ય દેવ માની અન્યને ગૌણ ગણે છે. વિષ્ણુ માનવીને દુઃખમાં રક્ષણ આપે છે, તેવી અનેક કથાઓ હિંદુધર્મમાં પ્રચલિત છે. શિવને પણ તેઓ સંહારક અને રક્ષક તરીકે પૂજે છે. આ સર્વ આગળ ઈન્દ્ર, યમ, બ્રહ્મા, વરુણ, કુબેર વગેરેને ગણ માને છે. સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, મહાકાળી વગેરેને સર્વ શક્તિમાન દેવી તરીકે પૂજે છે. આમ હિંદુઓ વિવિધ દેવદેવીઓની પૂજામાં માનતા હોવા છતાં “બ્રહ્મને પરમ તત્ત્વ તરીકે માને છે. આ પરમ તત્વ “બ્રહ્મ તે ઈશ્વર એમ પણ તત્વચિંતકે જણાવે છે.
વિશ્વનું સર્જન કઈ દેવ કે દેવીએ કર્યું છે તેવું જૈનધર્મ માનતા નથી. વિશ્વ નિત્ય અને અસૃષ્ટ છે. એનાં જુદાં જુદાં સ્વરૂપે હોઈ શકે અને તે સ્વરૂપો તથા લક્ષણોનાં સંધટન-વિઘટન પણ થઈ શકે. તે છ દ્રવ્યનું બનેલું છે. આ છે દ્રવ્ય તે જીવ, પુદ્ગલ, કાળ, આકાશ, ગતિ અને ધર્મ. જીવ મૈતન્ય ધરાવે છે. પુદ્ગલ અચેતન છે. જીવ પ્રકૃતિથી મુક્ત છે. તેની સંખ્યા અનંત છે.
જૈને માને છે કે ઈશ્વર શુદ્ધ જીવ છે અને તે અનંત ધર્મ, જ્ઞાન, આનંદ, અને શક્તિ ધરાવે છે. પ્રત્યેક જીવનમાં આ ગુણ હોય છે. પરંતુ સારાનરસાં કર્મોને કારણે જીવના આ સ્વાભાવિક ગુણેને ક્ષય થયે હોય છે. જીવની આજુબાજુ કર્મોનું આવરણ રચાયેલું હોય છે. જીવને જ્યારે પૂર્ણ દર્શન અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે અનંત આનંદ અને શક્તિ મેળવે છે. તે અહંત બને છે. આ સ્થિતિ કેઈના આપવાથી જીવને મળતી નથી પણ સ્વયં કષ્ટ વેઠીને, તપ કરીને જીવે મેળવવાની હોય છે. અહંત સંસારના આવેગો અને આસક્તિઓથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org