SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધમે સંસારનો ત્યાગ કર્યો. લગભગ બાર વર્ષ સુધી કઠોર તપ કર્યું. સત્ય અને જ્ઞાનની શોધ માટે અનેક સ્થળોએ ફર્યા. ક્રૂર અને ઘાતકી પ્રજા વચ્ચે રહી અનેક કષ્ટ સહન કરી ધૈર્ય અને ક્ષમાની વૃત્તિ કેળવી. તેમણે અહિંસાને પિતાનું જીવન વ્રત બનાવ્યું. બાર વર્ષના કઠોર તપને અંતે પિતાના બેતાળીસમા વર્ષે ઋજુપાલિકા નદીના કિનારે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવલજ્ઞાન પ્રાપ્ત પછી મહાવીરે પોતાના જ્ઞાન અને અનુભવોને ઉપયોગ લોકકલ્યાણમાં કર્યો. પોતાના સ્વ-આનંદને સર્વાનંદમાં ફેરવવા કટીબદ્ધ થયા. લગભગ ૩૦ વર્ષ સુધી અહિંસાપ્રધાન ઉપદેશ કરી સમાજમાંથી હિંસા દૂર કરવા પ્રયત્ન કર્યા. તેમણે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, વિવેક ઇત્યાદિ સદ્ગુણોને ઉપદેશ આપી પ્રજાને અહિંસક અને નિર્ભય જીવન જીવવા પ્રેરણા આપી. તેઓ પિતાના ૭૨મા વર્ષે રાજગૃહ પાસે પાવાપુરીમાં ઈ. સ. પૂ. પર૭માં દિવાળીને દિવસે નિર્વાણ પામ્યા. એમના ઉપદેશને પરિણામે ભારતમાં જૈનધર્મો સારો વિકાસ સાથે. મહાવીર પોતે ક્ષત્રિય હોવા છતાં, વીરતાનું લોહી નસેનસમાં ફરતું હોવા છતાં ત્યાગ ને તપ દ્વારા વીરતા દાબી દઈને તેઓ વીરમાંથી “મહાવીર’ બન્યા. તેમના કાર્યનું મૂલ્યાંકન કરતાં શ્રી કિશોરલાલ મશરૂવાલા કહે છે કે “મહાવીરે જૈનધર્મમાં નવું ચેતન આપ્યું. તેની પુનઃ પ્રતિષ્ઠા કરી. તેમના ઉપદેશને પરિણામે પ્રજા ફરી પાછી જૈનધર્મ તરફ આકર્ષાઈ વૈરાગ્ય અને અહિંસાને ન જવાળ દેશ પર ફરી વળ્યો. સમાજમાંથી પશુહિંસા બંધ થઈ અને અહિંસાને મહિમા વધે. પરિણામે જૈનધર્મ ભારતમાં કપ્રિય બને. જૈનધર્મના આચાર દુનિયાના અન્ય ધર્મોની સરખામણીમાં જૈનધર્મ વ્યક્તિના આચારવિચાર ઉપર વધારે ભાર મૂકે છે. “હિંસા મે ઘ એ એનું સૂત્ર છે. આ ધર્મની ઈમારત અહિંસાની ઈટ પર ઊભી છે. તેને આચારના સિદ્ધાંત પણ આ વિચારની આસપાસ ઘડવામાં આવેલા છે. શુદ્ધ આચાર દ્વારા માનવજીવન શુદ્ધ રાખવાનું આ ધર્મનું ધ્યેય છે. આ ધમેં પ્રબોધેલા મુખ્ય આચારે નીચે પ્રમાણે છેઃ (૧) મહાવ્રત અને અણુવ્રત જૈનધર્મમાં વ્રત અને ઉપવાસ ઉપર વધારે ભાર મૂકવામાં આવેલ છે. આધ્યાત્મિક જીવન જીવવા માટે વ્રત પાલન જરૂરી છે. જૈનધર્મમાં સાધુ-સાધ્વીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy