SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અમે હિન્દુધર્મના અનુયાયીઓ ઋષભદેવને વિષ્ણુના ચોવીસ અવતારમાંના એક અવતાર તરીકે ઓળખાવે છે. કેટલાક વિદ્વાને હડપ્પા અને મહેં-જો-દડોમાંથી મળતી કેટલીક ઊભી પ્રતિમાઓને કાયેત્સર્ગ નામના આસનમાં ઊભેલી હોવાનું માને છે. આ આસન જૈન યેગીઓનું વિશિષ્ટ આસન હેવાનું જણાવી આવું આસન મથુરાના સંગ્રહસ્થાનમાં સચવાયેલી ઋષભદેવની પ્રતિમામાં જોવા મળે છે અને તેથી તે સર્વેને ઋષભદેવની પ્રતિમા સાથે સાંકળે છે. આ ઉપરથી કેટલાક વિદ્વાનું માનવું છે કે સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ અહિંસા પ્રધાન હતી. આમ જૈનધર્મની પ્રાચીનતાને તેઓ સિંધુ નદીની સંસ્કૃતિ સુધી લંબાવે છે પણ આના માટે હજુ કઈ સ્પષ્ટ પ્રમાણ મળતું નથી. શ્રી વિનોબાજી જૈનધર્મને હિન્દુધર્મ એટલે જ પ્રાચીન માને છે. નેમિનાથ નેમિનાથને ઉલ્લેખ ઋગ્યેદ, યજુર્વેદ વગેરેમાંથી મળે છે. તેમના પિતાનું નામ સમુદ્રવિજય અને માતાનું નામ શિવાદેવી હતું. તેમનું લાંછન શંખ છે. અને યક્ષ ગોમેધ છે. તેઓ યાદવ કુળના ક્ષત્રિય હતા. તેઓ શ્રીકૃષ્ણના કાકાના દીકરા હતા. જેનપુરાણ પ્રમાણે જાણવા મળે છે કે તેમને વિવાહ રાજા ઉગ્રસેનની પુત્રી રામતી સાથે થયા હતા. લગ્ન વખતે થનાર પ્રાણીઓને વધથી અકળાઈને તેઓ લગ્નમંડપને ત્યાગ કરી ગિરનાર પર તપ કરવા ચાલ્યા ગયા. સમય જતાં તેઓ શ્રમણ સંપ્રદાયના અનુયાયી બન્યા. કઠણ તપશ્ચર્યાને અંતે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. તે તીર્થકર સ્વરૂપે મનાવા લાગ્યા. તેમનું કાર્યક્ષેત્ર ગિરનાર અને તેની આસપાસના પ્રદેશમાં વિસ્તર્યું. આજે પણ ગુજરાતમાંથી અન્ય તીર્થકરે કસ્તા નેમિનાથની પ્રતિમાઓ અને મંદિરે વિશેષ પ્રમાણમાં મળે છે. તેમની અતિહાસિક્તા વિશે વિદ્વાનમાં કોઈ મતભેદ નથી. પાશ્વનાથ વીસમા તીર્થંકર પાર્શ્વનાથ એક ઐતિહાસિક વિભૂતિ મનાય છે. તેમને જન્મ વારાણસીમાં થયે હતો. તેમના પિતાનું નામ વિશ્વસેન અને માતાનું નામ બ્રાહ્મી હતું. તેઓ ઉગ્રવંશના અને કશ્યપ ગોત્રના હતા. તેમનું લાંછન સર્ષ અને યક્ષ પાર્શ્વ અથવા વામન છે. તેઓ પ્રખર સુધારક હતા. તેમણે તત્કાલીન સમાજની સ્થિતિ જોઈ જેને માટે ચાર ધામ (ત) પ્રબે ધ્યાં. - દરેક તીર્થકર સાથે કેટલીક દંતકથાઓ સંકળાયેલી હોય છે તેમ પાર્શ્વનાથ સાથે પણ કેટલીક દંતકથાઓ સંકળાયેલી છે. એક અનુકૃતિ પ્રમાણે જાણવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy