SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સહજ ગરમી જેમ જીવ વિના અસંભવિત છે, તેમ અગ્નિમાં પ્રકાશ અને ઉષ્ણતા જીવના કારણે છે. અગ્નિને લાકડાં વગેરે ખોરાક મળતાં મનુષ્યના શરીરની જેમ વધે છે. અગ્નિની જ્વાળા ઊંચે ચઢે છે, અનુકુળ પવન હોય તે વધે છે, અથવા બુઝાઈ મરણ પામે છે. ઘર્ષણ વગેરેથી જન્મ પામે છે, એ અગ્નિને સચેતન સાબિત કરે છે. ૪. વાયુમાં જીવસિદ્ધિ કેઈની પ્રેરણા વિના આમથી તેમ ગતિ કરવાની વાયુની શક્તિ તેને સચેતન સાબિત કરે છે. દેવે તથા અંજનાદિ યેગથી જેમ મનુષ્ય અદશ્ય રહી શકે છે. તેમ તેવા પ્રકારની રૂપ પરિણતિને વેગે વાયુ અદશ્ય છે છતાં સ્પર્શ વગેરેથી જાણી શકાય છે. વળી વાયુ નજરે દેખાતું નથી છતાં તેનું વજન પણ હોય છે. ૧૦ સેન્ટીમીટર લાંબા, પહોળા, ઊંચા ખાલી ડબ્બામાં ૧ લિટર હવા હોય તે તેનું વજન ૧૩ ગ્રામ થાય છે. હવા ખેંચી લઈ પછી અને પહેલા કાચના વાસણનું વજન કરીએ તે હવાવાળું વાસણ વધારે વજનદાર હોય છે. પ. વનસ્પતિમાં જીવસિદ્ધિ ૧. વનસ્પતિ છે એક જ ઈન્દ્રિયવાળા છતાં, ગયા જન્મનાં સંસ્કારને કારણે પાંચ ઇન્દ્રિયોને વિષય અનુભવતા જણાય છે. ૨. જાગૃત દશા, નિદ્રા, રાગ, પ્રેમ, હર્ષ, લોભ, લજજા, ય, મૈથુન, ક્રોધ, માન, માયા, આહાર, જન્મ, વૃદ્ધિ, મરણ ઘ સંજ્ઞા વગેરે મનુષ્યની માફક અનુભવે છે. ૩. મનુષ્યમાં જેમ ત્રણ અવસ્થા હોય છે તેમ વનસ્પતિને પણ ત્રણ અવસ્થા હોય છે. જેમ મનુષ્યને નિયત આયુષ્ય હોય છે. તેમ વનસ્પતિને પણ નિયત આયુષ્ય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy