SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पच्चकखाण भाष्य પચ્ચક્ખાણ એટલે પ્રતિજ્ઞા-નિયમ, અમુક પ્રકારનો ત્યાગ, એ મેલનું પરમ અંગ છે. દ્રવ્ય પચ્ચક્ખાણ કરતા કરતા ભાવ પચ્ચકખાણના પરિણામ જાગે છે. ભાવ પચ્ચકખાણ વિના મુક્તિ નથી. આ શ્રદ્ધા ન હોય તે મિથ્યાત્વ મેહનીય કર્મને ઉદય ગણાય છે. દરેક પચ્ચખાણમાં આગાર-છૂટ સંકળાયેલ છે, આગારથી પચ્ચકખાણ અખંડ રાખી શકાય છે, અને પ્રતિજ્ઞા ભાંગતી નથી. જ્યારે પચ્ચકખાણ ન લેતા ફક્ત મનની ધારણ કરનારને આગાર તે છે જ નહિ, તેથી ભૂલ થતાં ધારણ ભાંગે છે. વળી મનની ધારણમાં તે પાપ નહિ આચરે તે ય અવિરતિનું પાપ લાગે છે. વળી કઈવાર મનને થાય કે, મારે નિયમ ક્યાં છે? લાવને ખાઈ લઉં? જ્યારે નિયમવાળાને તે એક જાતને અંકુશ રહે છે. પચ્ચકખાણ દ્વારા પાપોથી છૂટા છેડા (Divorce) લેવાય છે, અને પાપ નહિ કરવાની જાહેર નોટીશ અપાય છે, આ નેટીશ બહાર મૂકે એટલે પાપ જીવનમાં પ્રવેશી શકે જ નહિ. જેમ ભાગીદારીની પેઢીમાંથી છૂટા થવાની નેટીશ ન આપે તે પોતે જાતે વેપાર ન કરે તે પણ નુકશાનીને ભાગ આપવો પડે. જ પચ્ચકખાણથી કાયા અંકુશમાં આવે છે. મનને અંકુશમાં લાવવાનો ધીમે ધીમે અભ્યાસ વધે છે. કેઈને ન ગમે કે ન મલે તેનું પણ પચ્ચકખાણ લે તે તેની આશા છુટે છે, હવે મળે તે ય ન લેવું એ ભાવથી લાભ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy