________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭૬૦
નમસ્કાર કર્યાં.
રાજ્યના કુશળ વર્તમાન પૂછ્યા, રાણીએ યથાવિધ ઉત્તર આપ્યા અને પછી બન્નેનો વાર્તાલાપ ચાલુ થયો.
રાણીએ પૂછ્યું : ‘મહારાજ! તમે આ ગાઢ જંગલમાં ક્યારના આવ્યા છો?” રાજા : ‘હું બે-ત્રણ મહિનાથી આવ્યો છું. હું મોટો રાજા હતો, રાજ્ય, સ્ત્રી, પુત્ર કુટુંબ વગેરેનો ત્યાગ કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે હું અરણ્યમાં આવીને વસ્યો છું.’
રાણી : ‘અહો! ત્યારે તો તમે મોટા મહાત્મા અને મહાન ત્યાગી પણ છો?” રાજા : ‘હા! મહારાજ, જેવી ઈશ્વરની ઇચ્છા. મેં તો એમની ઇચ્છાથી બધું છોડી દીધું છે.’
રાણી : ‘ઠીક; રાજાજી આપ એમ માનો છો કે આપે બધું છોડી દીધું છે; પણ મારા જોવામાં તો એવું આવે છે કે, આપે કંઈ પણ ત્યજ્યું નથી.’ રાજા : ‘નહિ મહારાજ! મેં તો બધું જ છોડી દીધું છે. હવે મારી પાસે કોપીન, તુંબી-પાત્ર, લાકડી અને આ ઘાસની બનાવેલી ઝૂંપડી છે. બીજું કાંઈ જ નથી. જો આપની આજ્ઞા થતી હોય તો ઝૂંપડી પણ બાળી નાખું.'
રાણી : ઠીક, તો બાળી દો, એમાં શું? તરત જ રાજાએ અગ્નિ વડે ઝૂંપડી સળગાવી દીધી.
રાજા : ‘કેમ, મહારાજ હવે હું ત્યાગી ખરો કે નહિ?”
રાણી : ‘નહિ, મહારાજ, માત્ર ઝૂંપડી સળગાવી દેવાથી ત્યાગી ન બની શકાય.'
રાજા : ‘સારું, તો પછી આ લાકડી બાકી છે, કહો તો તે પણ ફેંકી દઉં.’ રાણી : ‘સારુ, ફેંકી દો.'
રાજાએ લાકડી ફેંકી દીધી અને કહ્યું ઃ ‘મહારાજ, હવે ત્યાગી થયો કે નહિ?” રાણી : ‘નહિ, મહારાજ, હજી પણ તમે ત્યાગી થઈ શક્યા નથી,’ રાજા : તો પછી હવે તો મારી પાસે ફક્ત કમંડલ છે, તે શિવાય બીજું કંઈ જ નથી. જો આજ્ઞા થાય તો તે ફોડી નાખું.
રાણી : ‘સારું ફોડી નાખો.’ તરત જ રાજાએ તુંબીપાત્રને ફેંક્યું અને તે ફૂટી ગયું.
રાજા : કેમ મહારાજ? હવે તો હું ત્યાગી થયો ને? રાણી : ‘નહિ, મહારાજ હજી પણ તમે ત્યાગી થઈ શક્યા નથી.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org