________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૩૦
ને વધુ તીવ્રતાથી નિંદતા રહ્યા અને શુભ ભાવના ભાવતા રહ્યા, ભાવતા જ રહ્યા. અતિ શુભ ને શુક્લ ધ્યાનના બળથી તેમનાં બધાં જ ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો. તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. દેવોએ એ જાણી આનંદથી તેનો મહોત્સવ કર્યો.
આ કથાથી સાધુ અને શ્રાવક-બન્નેએ બોધ પાઠ લેવાનો છે. સાધુએ લોભ અને લાલસાથી આહાર ગ્રહણ કરવો ન જોઈએ. લોભપિંડનો તેમણે સર્વથા ત્યાગ કરવો જોઈએ. ગૃહસ્થ શ્રાવકોએ સાધુના દેખીતા નાના નાના શિથિલાચાર જોઈને તેમની ધૃણા કે તિરસ્કાર ન કરવા જોઈએ. એવા શિથિલાચારી સાધુઓની મનની દુર્બળતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ; અને સાધુ અનાચારી ન થાય તેમ વિનય-વિવેકથી તેમને સન્માર્ગ યાદ કરાવવો જોઈએ. એના બદલે નનામી પત્રિકાઓ કે છાપામાં છપાવીને જૈન શાસનની નિંદા થાય એવું ન કરવું જોઈએ. વિનયપૂર્વક આચરણથી સાધુઓને સન્માર્ગમાં સ્થાપિત કરવા જોઈએ.
આશ ભરીને આવ્યો આશ ભરીને આવ્યો સ્વામી, ભક્તિમાં નવિ રાખું ખામી, પૂરજો મારી આશ, ઓ શંખેશ્વરા, રાખજો મારી લાજ, ઓ શંખેશ્વરા. તાર હો તાર ઓ પ્રભુજી, હું તો જેવો છું તેવો તમારો, કોઈ નથી અહીં મારું, પ્રભુ આપી દે મુજને સહારો, પાર કરો, ઉદ્ધાર કરો, મુજ જીવન નૈયાને
. ઓ. શંખેશ્વરા ભાન ભૂલી ગયો છું. સન્મતિ તું મુજને દેજે, રાહ ભૂલી પડ્યો છું, મને રાહ બતાવી દેજે. માયા કેરી આ દુનિયામાં, રઝળી પડ્યો છું આજ.
.. આશ ભરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org