________________
જૈન શાસનના ચમકતા સિતારા ૯૯
બીજા વરસે મૌન એકાદશીએ સુવ્રત શેઠ પૌષધ લઈ પૌષધશાળામાં બેઠા હતા ત્યારે તે લત્તામાં પ્રચંડ આગ લાગી. જીવ બચાવવા લોકોએ નાસભાગ કરી મૂકી. મકાનો બધાં ભડભડ બળવા લાગ્યાં. આગ કાબૂમાં આવવાને બદલે વધતી ગઈ. વધતી-વધતી તે પૌષધશાળામાં આવી. તે પણ બળવા લાગી. લોકોએ બૂમાબૂમ કરી મૂકી. “સુવ્રત શેઠ! સુવ્રત શેઠ, ભાગો, જલદી ભાગો. આગ લાગી છે, આગ લાગી છે, પૌષધશાળા ભડકે બળી રહી છે. જલદી દોડો, જીવ બચાવો.”
પણ સુવ્રત શેઠ પૌષધમાં અને મૌનમાં સ્થિર રહ્યા. તેમણે કશી જ હાયવોય ન કરી. કાયોત્સર્ગમાં સ્થિર ઊભા રહ્યા અને આત્મધ્યાનમાં લયલીન જ
રહ્યા.
સવાર સુધીમાં તો આખી પૌષધશાળા બળીને ખાખ થઈ ગઈ. પરંતુ આ આગમાં સુવ્રત શેઠ અને તેમના પરિવારને જરાય આંચ ન આવી. એટલું જ નહીં, આ પ્રચંડ આગમાં તેમની હવેલી, દુકાન, વખારો બધું અકબંધ રહ્યું. આ જોઈ જાણીને નગરજનોએ સુવ્રત શેઠનો તથા જૈન ધર્મનો ભારે જયજયકાર કર્યો.
સુવ્રત શેઠ બરાબર સમજી ગયા હતા કે મૌન એકાદશીની આરાધનાના પ્રતાપે પોતે અગિયારમા દેવલોકમાં ગયા હતા; અને અહીં આ જન્મ અગિયાર પત્નીઓ મળી અને પોતે અગિયાર કરોડ રૂપિયાના માલિક બન્યા.
તેઓ જીવનમાં બાર ભાવનાઓનું સતત ચિંતન કરતા રહ્યા. તેમને દેવી શક્તિનું રક્ષણ પ્રાપ્ત થયું હતું કારણ કે તેમનું ઉત્કૃષ્ટ પુણ્ય હતું અને તેઓ ઉત્તમ રીતે ધર્મ પાળતા હતા.
તેઓ હવે વિચારવા લાગ્યા : ચોરીનો બનાવ નજર સામે આવ્યો. આગમાં સંપૂર્ણ રીતે બચી ગયા. ભલે બધી સંપત્તિ બચી ગઈ, પણ શું આ ઘટનાઓ પોતાને જાગ્રત કરવા માટે પૂરતી નથી? હવે ગ્રહવાસ ત્યાગ કરવો જોઈએ અને ચારિત્ર્યધર્મનો સ્વીકાર કરી કર્મક્ષયનો પુરુષાર્થ હાથ ધરવો જોઈએ. હું સંયમધર્મનો સ્વીકાર કરીશ તો મારી અગિયારે પત્ની પણ સંયમ લેશે. તેઓ પણ કર્મક્ષય કરી મુક્તિ પામી જશે. તેમના સુખનો, આનંદનો પાર નહીં રહે. તો હવે વિલંબ શા સારુ કરવો જોઈએ? તેમણે નિરાંતે પત્નીઓને પોતાનો વિચાર જણાવ્યો અને પૂરા ઉલ્લાસથી દીક્ષા લેવા પત્નીઓ પણ સંમત થઈ.
નગરમાં ચાર જ્ઞાનના ધારક આચાર્ય ભગવંત શ્રી વિજયશેખરસૂરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org