SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક ક્રિયાનાં સૂત્રો : ૫૬૯ : કપલે ઓઢાડે અને જમીન ઉપર સુવાડે ત્યાં પણ માથાની જગ્યાએ જમીનમાં ખીલી ઠેકે, પછી મૃતકની જમણી બાજુએ ચરવળી તથા મુહપત્તિ મૂકે અને ડાબી બાજુએ ઝેળીની અંદર ખંડિત પાત્રામાં એક લાડુ મૂકે. પછી જે વખતે કાળ કર્યો હોય તે વખતનું કયું નક્ષત્ર હતું તે જેવું (અથવા બ્રાહ્મણને પૂછવું) રહિણી વિશાખા પુનર્વસુ અને ત્રણ ઉત્તરા એ છ નક્ષત્રમાં ડાભનાં બે પૂતળાં કરવા. ચેષ્ટા, આદ્ર, સ્વાતિ, શતભિષા, ભરણું, અશ્લેષા અને અભિજિત આ સાત નક્ષત્રમાં પુતળાં કરવા નહિ, બાકીના ૧૫ નક્ષત્રમાં એકેક પુતળું કરવું. તે પુતળાંના જમણા હાથમાં ચરવળી તથા મુહપત્તિ આપવી, તથા ડાબા હાથની ઝેળીમાં ભાંગેલું પાત્ર લાડુ સહિત મૂવું. જે બે પુતળાં હોય તે બંનેને તે પ્રમાણે આપવું. પછી પુતળાં આદિ બધી વસ્તુ મૃતકની પાસે મૂક્વી. પછી સારી મજબૂત ત્રીજે કપડે હોય તે પાથરીને તેની અંદર બધી વસ્તુઓ સહિત મૃતકને સુવાડીને કપડાનાં બધા છેડા વીંટવા અને મૃતકનાં પ્રથમના બધાં વચ્ચે હોય તે શ્રાવકે ઉના પાણીથી પલાળી સુકાવી ફાડીને પરઠવી દે. અને સંથારે કામળી વિગેરે જે ઉનનાં કપડા હોય તેને ગોમુત્ર છાંટે. (જે સુતરાઉ કપડાંને પલાળવાની જોગવાઈ ન બને તે મુત્ર છાંટે તે પણ ચાલે.) સાધુ સાધ્વી કાળધર્મ પામે ત્યારે જોઇતા સામાનની યાદી. લાડવાના ડેધલા દીવીઓ વાંસની ૪ વાટકા ૪ દેવતા ને કંપ શેર ૨ સુતર શેર શા બદામ શેર ૧૦ ટેપરા મણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy