________________
વિવો
જિનેશ્વર સિદ્ધા રે સાત સહસશું ચૌદમા, નિજ કાર્ય વર કીધા છે. સમેત ૪ એકસે આઠમું ધર્મજી, નવૉશું શાંતિનાથ રે, કુંથુ અર એક સહસશું, સાચે શિવપુર સાથ રે. સમેત, ૫ મલ્લિનાથ શત પાંચશું, મુનિ નમી એક હજાર રે, તેત્રીશ મુનિ યુત પાસજી, વરીયા શિવસુખ સાર . સ. ૬ સત્તાવીશ સહસ ત્રણશે, ઉપરે ઓગણપચાસ રે; જિન પરિ પકવ બીજા કેઈ, પામ્યા શિવપુર વાસ રે. સમેત૦ ૭ એ વિશે જિન એણે ગિર, સિદ્ધયા અણસણ લેઈ ; પદ્યવિજય કહે પ્રણમીપાસ સામાલનું ચેઈ જે. ૮
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત.
ચિત્રી પૂનમના દેવવંદન. વિધિ-પ્રથમ પ્રતિમા ચાર માંડીએ તથા ચૌમુખ હોય તે ચૌમુખ માંડીએ. તિહાં પ્રથમ ટીકી દશ કરવી, ફૂલના હાર ઇશ, અગરબત્તી દશ વાર ઉખેવવી, દશ દીવેટને હવે કરે, દશ વાર ચામર વીંજવા, દશ સાથીયા ચોખાના કરવા, જેટલી જાતિનાં કુલ મળે તે સર્વ જાતિનાં પ્રત્યેક દશ દશ મૂકવાં. સેપારી પ્રમુખ સર્વ દશ દશ મૂકવાં. નૈવેદ્ય મળે સાકરીયા ચણા તથા એલચીપાક, દ્રાખ, ખારેક, શિંગડાં નિમજા, પિસ્તા, બદામાદિ મેવા જે જાતિના મળે તે સર્વ પ્રત્યેક દશ દશ વાનાં મૂકવાં. અખીયાણું–ગોધુમ અથવા ચોખા શેર ત્રણ, લીલાં નારિયેર ચાર મૂકવાં, ઈત્યાદિક વિધિ મેળવીને દેવ વાંદવા.
દેવવંદન વિધિ-થાપનાચાર્ય આગળ અથવા નવકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org