________________
= ૪૮૪ :
આવશ્યક મુક્તાવલીઃ વશમાં ખાસ શ્રી મલ્લિનાથ જિન દેવવંદન
ચૈત્યવદન મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી; પ્રભાવતી જસ માવડી, ટલે કર્મ વયર, ૧ તાત શ્રી કુંભ નરેસ, ધનુષ્ય પચવીશની કાય; લંછન કલશ મંગલકર, નિર્મમ નિરમાય. ૨ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્યવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩
થાય મલ્લિ જિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે; ઇન્દ્રિય ગણ દમિયે, આણ જિનની ન કમી, ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વમીયે જિન ગુણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. ૧ શ્રી મુનિસુવ્રત જિન દેવવંદન
ચૈત્યવંદન મુનિસુવ્રત જિન વશમા, કચ્છપનું લંછન પન્ના માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. ૧ રાજગૃહી નગરી ધણી, વિશ ધનુષ્ય શરીર, કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામ સમીર. ૨ ત્રીસ હજાર વરસતણું એ, પાલી આયુ ઉદાર; પદ્યવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. ૩
મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, વર્ગનાં સુખ જામે; દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મેહ ભામે, સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિધામે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org