SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૮૦ : આવશ્યક મુક્તાવલી : સેળ ખંડ પાપભીરુ શ્રાવક-શ્રાવિકાઓએ ત્યાગી દેવાની જરૂર છે. વળી તે બધી જ વસ્તુઓ કાંઈ રોજ ઉપયોગમાં આવતી નથી. અરે ! કેટલીક તે એવી છે કે આખી જિંદગાની સુધી ખાવામાં પણ આવતી નથી, તેમજ તેના દર્શન પણ થવા બહુ દુર્લભ હોય છે, છતાં પણ તે વસ્તુઓનો પ્રતિજ્ઞાપૂર્વક અને ઈરાદાપૂર્વક ત્યાગ કરવામાં નથી આવતે ત્યાંસુધી તે વસ્તુઓ ઉપરની ઇચ્છાના કારણે નાહકને પાપબંધ થયા કરે છે, માટે સુજ્ઞ અને સમજી મનુષ્યોએ પહેલી તકે તે વસ્તુઓને ગુરુ સમક્ષ પ્રતિજ્ઞા લઈ વસરાવી દેવાની આવશ્યકતા છે. ચાર અભક્ષ્ય મહાવિગય. ૧ મધ. ૨ માખણ. ૩ માંસ. ૪ મદિરા (દારૂ). વાઘરી લેકે મધમાખીના પુડા આગળ ધૂમાડે કરી મધમાખીઓને અત્યંત ત્રાસ ઉપજાવી પુડામાંથી બહાર કાઢે છે તેથી તેઓ તથા તેમાં રહેલા અશક્ત નાના બચ્ચાઓ પણ મરી જાય છે. આવી ઘોર હિંસાથી ઉત્પન્ન થએલા મધને છોડી દેવું એ જ શ્રેયસ્કર છે. વલી એ મધમાં નિરંતર અસંખ્ય છ ઉપજે છે, તેથી પણ તેને દયાલુ આત્માઓએ ત્યાગ કરવામાં વિલંબ કરવાની જરૂર નથી. મહુડા આદિ પદાર્થોને કેહડાવી બનાવવામાં આવતા દારૂમાં પણ અનેક જીવોની હિંસા થાય છે, તેમાં પણ સમયે સમયે અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. દારૂપાન તે પૈસા આપીને મૂર્ખાઈ ખરીદવા જેવું છે. માખણ પણ છાશ ઉપરથી બહાર નીકળ્યું કે અંતર્મુહૂર્તમાં તેમાં તે જ રંગના સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે, માટે તે પણ કદી ખાવું નહિ. માંસમાં તે પંચેન્દ્રિય પ્રાણીઓને ચો વધ થતા હોઈ તેમાં તે ઘોર હિંસા છે જ. વળી કાચા અગર પકાવેલા માંસમાં પણ અસંખ્ય જીવો પેદા થાય છે, માટે ચારે મહાવિગયને તિલાંજલિ આપવી જરૂરી છે. Jain Education International uonal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy