________________
* ૩૭૨ :
આવશ્યક મુક્તાવલી : પંદરમે ખડ
આ પ્રમાણે ચાર વર્ષ પર્યત તે કરવાથી ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. દરરોજ દેવપૂજા કરવી. પુસ્તક ઉપર ચંદર બાંધ, જ્ઞાનને ધૂપ દીપ કરી હમેશાં રૂપાનાણે પૂજવું, શક્તિ ન હોય તે પહેલે અને છેલ્લે દિવસે રૂપાનાણે પૂજવું. અને વચલા દિવસોમાં યથાશક્તિ દ્રવ્યવડે પૂજવું. “નમે નાણસ્સ' એ પદની ૨૦ નવકારવાળી દરજ ગણવી, (કોઈ જગ્યાએ ૩% હો કલી નમો નાણસ એમ પણ કહેલ છે. ) ૨૦ લેગસ્સનો કાઉસ્સગ્ગ કરે, નીચે બતાવેલી વિધિ મુજબ દરરોજ વિધિ કરવી, કુંભની ઉપર શ્રીફળ મૂકી લીલા કે પીળા રેશમી વસ્ત્રવડે બાંધી રાખ. દરરોજ તેની અંદર વિધિને અંતે એકેક પસલી અક્ષતની નાખવી. સેળ દિવસે કુંભ ભરાઈ જાય તેમ કરવું. છેલ્લે દિવસે કુંભની સમીપે રાત્રી જાગરણ કરવું. પૂજા પ્રભાવના કરવી, અક્ષયનિધિ તપનું સ્તવન દરરોજ ગાવું. સાંભળવું, પારણાને દિવસે (ભાદ્રપદ શુદિ ૫ મે) કુંભને ફૂલની માળા પહેરાવી, સૌભાગ્યવતી સ્ત્રીને માથે મૂક. સર્વ જાતિના પકવાન સુખડી વિગેરે યથાશક્તિ કરાવી, તેના થાળ પણ સાભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂકવા. હાથી ઘોડા વાછત્રો વિગેરેથી મટી ધામધૂમ સાથે વરડે ચઢાવી કુંભ લઈને દેરાસરે આવવું. કુંભવાળી સ્ત્રીઓએ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુ પાસે કુંભ મૂક, નૈવેદ્યના થાળ પણ પ્રભુ પાસે ધરવા, જ્ઞાનના પુસ્તકને ગુરુમહારાજ પાસે લઈ જઈ ત્યાં પધરાવી ગુપૂજા તથા જ્ઞાનપૂજા રૂપાનાણથી કરવી. તે દિવસે યથાશક્તિ સ્વામીવાત્સલય, પ્રભાવના વિગેરે કરવું. જેટલા સ્ત્રી કે પુરુષ આ તપ કરતા હોય તે દરેકને માટે કુંભ જુદા જુદા પધરાવવા. કલ્પસૂત્ર એક જ પધરાવવું. આ તપ શ્રાવકને તથા શ્રાવિકાએ કરવાનું છે. આ ભવ પરભવમાં મહાન લાભ આપનાર આ તપ છે, સાથીયા વિગેરે ૫૧ એકાવન અથવા ૨૦ વીસ કરવા.
શ્રી અક્ષયનિધિ તપની દરરોજ કરવાની વિધિ. પ્રથમ ઇરિયાવહી પ્રતિક્રમવા, પછી ઈચ્છાકારેણ અક્ષયનિધિ ત૫ આરાધન નિમિત્તે ચિત્યવંદન કરું, ઇચ્છું કહી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org