________________
સમ્યકત્વમૂલ બાર વતાનું સ્વરૂપ
૨૭૫ : ર. વચનદુપ્રણિધાન–પાપવાનું વચન બોલવું.
. કાયદુપ્રણિધાન–અજયણુએ કાયાને હલાવવી ચલાવવી, ભીંતે એઠીંગણ દઈને બેસવું.
૪ અનવસ્થા દોષ જે ટાઈમે સામાયિક લીધું હોય તે પૂરા ટાઈમે ન પાળે.
૫. સ્મૃતિવિડીન–સામાયક લઈને ટાઈમ જેવો ભૂલી જાય અગર તે સામાયક પારવું જ ભૂલી જાય.
૧૦ દેસાવગાસિકવત આખી જિંદગાની માટે લીધેલા વ્રતની વિશાળ મર્યાદાને આ વ્રતમાં અતિ સંક્ષેપ કરી લેવામાં આવે છે. મુખ્યતયા છઠ્ઠા વ્રતમાં અમુક ગાઉ સુધી જવાની રાખેલી છૂટને અતિ ટુંકાવી દેવામાં આવે છે. હાલ આ વ્રતમાં જધન્યથી એકાસણું કરી સવાર સાંજના પ્રતિક્રમણ સાથે વચમાં આઠ સામાયક કરવામાં આવે છે. ઉપાશ્રયથી ઘેર સુધી અગર અમુક સ્થાન સુધી જવાની મર્યાદા નક્કી કરાય છે.
દશામા વ્રતના પાંચ અતિચાર ૧. આનયન પ્રયોગ–ધારેલી ભૂમિથી આગળની ભૂમિથી કઈ વસ્તુ મંગાવવી.
૨. પ્રખ્ય પ્રયોગ–ધારેલી હદની બહારથી બીજા પાસે કોઈ વસ્તુ મંગાવવી.
૩. શબ્દાનુપાત–શબ્દ કરીને હદ બહારથી વસ્તુ મંગાવવી. ૪. રૂપાનુપાત-૨૫ દેખાડીને હદ બહારથી વસ્તુ મંગાવવી. ૫. પુદગલપ્રક્ષેપ-કાંકરે નાંખી પિતે અહીં છે એમ જણાવી દેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org