________________
એમ્પફેવમૂલ બાર વતાનું સ્વરૂપ
: ર૭૧ : ૯. શયન–શવ્યા, આસન, ગાદી ઉપર બેસવાની સંખ્યાનું માપ ધારવું. ૧૦. વિલેપન–શરીરે વિલેપન કરવાની વસ્તુનું માપ. ૧૧. બ્રહ્મચર્ય—યથાશક્તિ તે વિષે નિયમ ધાર. ૧૨. દિશિ–દશે દિશામાં જવાની મર્યાદા બાંધવી. ૧૩. સ્નાન–નાનની ગણતરી કરવી (ધર્મકાર્યમાં જયણા) ૧૪. ભસુ-ભજન-પાણીનું વજન ધારવું. પૃથ્વીકાય-માટી, ખારે, ચાક મીઠું આદિ વાપરવાનું પરિમાણુ ધારવું. અપૂકાય–પાણી પીવાનું તથા વાપરવાનું વજન ધારવું. તેઉકાય–ગુલા, દીવાનું પરિમાણ કરવું. વાઉકાય–પંખા. હડિલા, વસ્ત્રની ઝાપટ વિગેરેનું પરિમાણ કરવું.
વનસ્પતિ–ઉપયોગમાં આવતી લેતરીનું નામથી તથા તલથી પરિમાણુ કરવું.
અસિ–સેય, કાતર, સુડી, છરી, તરવાર આદિ વાપરવાની સંખ્યાનું પરિમાણ.
મસી-ખડીયા, કલમ વાપરવાની સંખ્યા રાખવી.
કૃષિ-હળ, કુહાડા, પાવડી, તરાજ (કોસ) વિગેરે વાપરવાની સંખ્યાનું પરિમાણ કરવું.
જગતમાં ખાવાની, પીવાની, ઓઢવાની અને વાપરવાની અનેક ચીજો છે. તે સમસ્ત વસ્તુઓને ભેગવટો આપણે એકી સાથે કરતાએ નથી અને કરી પણ શકતા નથી. છતાં પણ પચ્ચખાણ પ્રતિજ્ઞા )ના અભાવે તે તે વસ્તુ ઉપર આપણી ઇચ્છાઓ એટલી જ રહે છે એટલે તે ઈચછાઓઠારા આપણો આત્મા તે તે વસ્તુઓને નહિ ભોગવવાં છતાં પાપને ઉપાર્જન કર્યા કરે છે. અર્થાત્ નાહકમાં તે પાપથી આત્મા લેપાય છે. એટલે તે સમસ્ત પાપોમાંથી મુક્ત થવા માટે દરેક શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org