________________
સભ્યત્વલ બાર વતાનું સવરૂપ
: ૨૬૭ : ( દાગીને અગર રેકડ સીલક વિગેરે)ને ઓળવવી નહિ. અર્થાત તે લેવા આવે ત્યારે તું મને ક્યારે આપી ગયું છે, એમ બોલવું નહિ.
૫. કૂંડી શાખ-એટલે હજારો રૂપીયાને નફે થતું હોય તે પણ ખેટી સાક્ષી કદી પૂરવી નહિ. (કોઇને દેહાત દંડ-ફાંસી વિગેરે માટે અસત્ય બોલવું પડે તેની જયણા)
બીજા વ્રતના પાંચ અતિચાર. ૧. સહસાકાર-વિના વિચારે જેમ આવે તેમ લવું. ૨. રહસ્ય–ાઇની ગુપ્ત વાત જાહેરમાં મૂકવી.
૩. મંત્રભેદ-પિતાની સ્ત્રી, મિત્ર આદિ વિશ્વાસુઓના દૂષણ બોલવા. ગુપ્ત વાત ખુલ્લી કરવી (આમ કરવાથી ફેઈ વખત તેને આપઘાત કરવાને પણ પ્રસંગ આવે છે. )
૪. મૃષા ઉપદેશ-જૂઠે ઉપદેશ, બેટી સલાહ આપવી.
૫. ફૂટ લેખ-અ ને ઊધે રસ્તે દરવ, બેટા ખાતાં, દસ્તાવેજ કરવા-કરાવવા તથા લખેલ અક્ષરોમાં ફેરફાર કરો.
૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. આ વ્રતમાં નીચે જણાવેલ મોટી ચેરી કરવી નહિ. ૧. કોઈને ત્યાં ખાતર પાડવું નહિ તેમજ બીજા પાસે પડાવવું નહિ. ૨ ગાંઠે બાંધેલી કોઈ અમૂલ્ય વસ્તુ લેવી નહિ. ૩. ખીસું કાતરવું નહિ. ૪. તાળું તેડવું નહિ. ૫. લુંટ કરવી નહિ. ૬. કેાઇની પડી ગયેલી અમૂલ્ય ચીજ લેવી નહિ. ટૂંકમાં રાજ દડે અને લોક ભંડે એવી ચેરી પ્રાણુત કષ્ટ પણ કદી કરવી નહિ.
ત્રીજા વતના પાંચ અતિચાર, ૧, ચાર પાસેથી ચોરાઉ વરતુ સસ્તી જાણું, જાણી બૂઝીને લેવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org