________________
સમ્યકત્વમૂલ બાર વ્રતનું સ્વરૂપ છે
: ૨૬૫ ૪ લૌકિક ધર્મગત–લૌકિક પર્વો જેવાં કે હોળી, બળેવ, નેરતા આદિને કાર પર્વની બુદ્ધિએ માને.
૪ લેકોત્તર દેવગત–વીતરાગ દેવને આ લોક અને પરલોકના પૌગલિક સુખના ઈરાદાથી માને-પૂજે.
૫ લકત્તર ગુગત-કંચન-કામિનીના ત્યાગી ગુરુઓને ઉભય લેકના સુખના ઇરાદાથી માને-આહારપાણ આપે. - ૬ લોકેતર ધર્મગત-સર્વજ્ઞ ભગવાને કહેલા દાન, શીલ, તપ અને ભાવનારૂપ ધર્મને બન્ને લેકના પૌલિક સુખ મેળવવા માટે આરાધે.
૪ પ્રકાર ૧ પ્રરૂપણા–જિનભાષિત અર્થથી અવળી પ્રરૂપણું (દેશના) કરે. ૨ પ્રવતન-લૌકિક અને લેકેસર મિથ્યાત્વની કરશું કરે.
૩ પરિણામ–મનમાં જૂઠ હઠવાદ રાખે અને કેવળીભાષિત નવ તત્વના યથાર્થ અર્થની શ્રદ્ધા ન કરે. ( ૪ પ્રદેશ–આત્માની સાથે સત્તામાં રહેલી મોહનીય કર્મની સાત પ્રકૃતિ.
બાર તેનું સ્વરૂપ બાર વ્રતોના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. પાંચ અણુવત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત.
મુનિ મહારાજાના પાંચ મહાવ્રતથી નાના હોવાથી તેને અણુવ્રત કહેવામાં આવે છે. છઠ્ઠ, સાતમું અને આઠમું વ્રત પાંચ અણુવ્રતને ગુણ (ફાયદો) કરનારા હેવાથી તેને ગુણવ્રત કહેવામાં આવે છે. અને છેલ્લા ચાર વતેમાં મુનિપર્ણના પાલનની શિક્ષા (Practice) હેવાથી તેને શિક્ષાવ્રત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org