________________
સમકિત. એ મા વિનાનાં મં િશ
છે. દરેક
અવલ બાર વ્રતોનું સ્વરૂપ
ઉપરોક્ત ત્રણ ત ઉપર અટલ શ્રદ્ધા રાખવી તેનું જ નામ સમકિત. એ સમકિત વિનાની ધમક્રિયાઓને જૈન શાસ્ત્રકાર છાર ઉપર લીંપણુ જેવી એકડા વિનાનાં મીંડા જેવી, અગર તે પાયા (Foundation) વિનાના મકાન જેવી ગણે છે. દરેક વ્રતરૂપી વૃક્ષમાં સમ્મફત્વ તે તેના મૂળ રૂપે તેવું જ જોઈએ, જેની હયાતિમાં દરેક ધર્મ તેનું સંપૂર્ણ ફળ આપવા સમર્થ બને છે. . - ઉપરોક્ત સમ્યફવને દૂષિત કરનાર દૂષણો, અતિચાર, તેમજ કારણ પડે રાખવામાં આવતા આગારે ( છૂટ) અને મિથ્યાત્વના પ્રકારે અત્રે દર્શાવવામાં આવે છે.
સમ્યકત્વના પાંચ અતિચાર. ૧. શંકા–જિનવચનમાં શંકા કરવી. ૨. કાંક્ષા–અન્ય મતમાં જવાની અભિલાષા કરવી.
૩. વિચિકિત્સા–ધર્મના ફળને સંદેહ કરે અર્થાત હું ધર્મકરણી કેરું તેનું ફળ મને આવતા ભવમાં મળશે કે કેમ? એ વિચાર કર.
૪. મિથ્યાદષ્ટિપ્રશંસા અન્ય ધર્મીઓની પ્રશંસા કરવી. ૫. તત્સસ્તવ અન્ય ધમ તથા કુલિંગીઓને પરિચય કર.
(વ્યાપાર આદિના કારણે સિવાય) ઉપરના પાંચ અતિચારે ટાળવાથી સમ્મફત અતિ ઉજજવલ બને છે માટે તે અતિચારો ન લાગે તે માટે બનતે ઉપગ રાખ.
સમ્યક્ત્વના છ આગારે કોઈ કટોકટીના પ્રસંગે ફસાઈ જવાથી કારણસર કુદેવ, કુગુર અને કુધર્મને નમસ્કાર આદિ કરવો પડે તે સમ્યફત્રને સંગ ન થાય તે માટે તેના છ આગા-જયણા-છૂટ (Exception) રાખવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org