________________
ખંડ ૧૦ મો.
સભ્યત્વમૂલ બાર વતાનું સ્વરૂપ હરકોઈ વ્રત–પચ્ચખાણ, તપ, જપ, સર્વવિરતિ અગર તે દેશવિરતિ આદિ તમામ ધર્મક્રિયાની વાસ્તવિક સફળતાને સઘળો આધાર સમ્યકત્વ ઉપર જ રહે છે. સમ્યક્ત્વ એટલે સાચી શ્રદ્ધા. તેને બેધિબીજ પણ કહેવામાં આવે છે. અર્થાત શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ આ તત્ત્વત્રયીના ઉપર જેમને અડગ વિશ્વાસ હોય છે તેઓ સમ્યગુષ્ટ આત્મા કહેવાય છે.
૧. ૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ વીતરાય, ૪ ભોગાન્તરાય, ૫ ઉપભોગાન્તરાય, ૬ હાસ્ય, ૭ રતિ, ૮ અરતિક:૯ ભય, ૧૦ જુગુપ્સા, ૧૧ શાક, ૧૨ કામ, ૧૩ મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન,: ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ, ૧૮ ઠેષ આ અઢાર દોષથી રહિત જે કઈ હોય તેને જ સુદેવ કહેવામાં આવે છે. તે સિવાય અન્યને દેવ તરીકે નહિ માનવા.
૨. પાંચ મહાવ્રતો અને છઠું રાત્રિભોજન એમ છે વ્રતનું પાલન કરનારા, અને વીતરાગકથિત ધર્મની જ પ્રરૂપણ કરનારા સુગુરૂ કહેવાય છે, તે સિવાય અન્યને ગુરુ તરીકે નહિ માનવા.
૩. શ્રી વીતરાગ ભગવાને કહેલે અહિંસા, સંયમ અને તપ જેમાં પ્રધાન છે એને જ સુધર્મ કહેવાય છે, તેવા જ ધર્મને ધર્મ તરીકે સ્વીકાર.
૧ સમ્યફત્વનું વિશાળ સ્વરૂપ તથા બાર વ્રતની વિશેષ સમજ ગુરુમહારાજ પાસેથી જાણું લેવા પ્રયત્ન કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org