________________
આવશ્યક મુક્તાવલી : સાતમા ખરે ભક્તામર-આ પણ શ્રી માનતુંગસૂરિજીએ રચેલું શ્રી આદિવાયનું સંસ્કૃત સ્તોત્ર છે. આ આચાર્ય મહારાજને કેાઈ રાજાએ તેમની શક્તિની પરીક્ષા કરવા માટે ૪૮ બેડીઓ પહેરાવી હતી. તેઓ જેમ જેમ લેકે રચતા ગયા તેમ તેમ તે બેડીઓ ગુટતી ગઈ. આથી જૈનધર્મની બહુ ઉન્નતિ (ચઢતી) થઈ, અને રાજા જૈનધર્મમાં પ્રીતિવાળો થયો, આને ભણવાથી ઈછા તે પ્રમાણે આરોગ્ય (રોગ રહિતપણું) તથા લક્ષમી મળે છે.
કલ્યાણ મંદિર–આ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ રચેલું શ્રી પાર્શ્વનાથનું સ્તોત્ર (સ્તવન) છે. શ્રા ઉજજયિની નગરીમાં મહાકાળ નામના જૈન મંદિરમાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા હતી. તેને બ્રાહ્મણોએ શિવલીંગ પધરાવી ઢાંકી દીધી હતી. બાદ આ સ્તોત્ર રચનાર આચાર્ય મહારાજ ત્યાં ગયા અને આ સ્તંત્ર રચ્યું. તેને અગિયારમે શ્લોક રચત તે લીગ ફાટયું અને પ્રતિમાજી પ્રગટ થયા. આને ભણવાથી સર્વ પ્રકારના વિઘો નાશ પામે છે અને સુખ મળે છે.
રત્નાકરપચ્ચીશી-આ શ્રી રત્નાકરસૂરિજીની રચેલી પ્રભુસ્તુતિ છે. એમાં આચાર્ય મહારાજે પિતામાં રહેલા દેશે તથા અવગુણની નિંદા કરી છે. છેવટે સમકિતની માંગણું કરી છે.
તે જ પ્રથમ ભક્તામર સ્તોત્રમાં કલેક પણ ૪૮ હતા, તેમાંથી કોઇ પણ કારણસર ૪ પ્રાતિહાર્યના ૪ લેક કાઢી નાખવામાં આવ્યા છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org