SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨૧૨ : આવશ્યક મુક્તાવલીઃ સાતમો ખંડ ઉકસાય-આ શ્રી પાર્શ્વનાથનું ગુણસ્તુતિરૂપ ચૈત્યવંદન છે. રહેસર-આમાં બ્રહ્મચર્યવાળા તથા બીજી રીતે થએલા પ્રાતઃરમરણીય ઉત્તમ પુરુષો અને સ્ત્રીઓનાં નામે ગણાવ્યાં છે. ' બહુ જિણાણું આ સઝાયમાં શ્રાવકને કરવા યોગ્ય છત્રીશ કૃત્યોનું વર્ણન છે. સકલતીર્થ (તીથવંદના)-આમાં ત્રણ લોકની અંદર આવેલા શાશ્વતા અને અશાશ્વતા ચ તથા તેની અંદર રહેલી પ્રતિમાઓની સંખ્યા બતાવી તેઓને નમસ્કાર કરવામાં આવે છે. આ જીવવિજયજીએ રચેલ છે. સ્નાતસ્યા--શ્રી બાલચંદ્રસુરિજીની રચેલી આ મહાવીરસ્વામી વગેરેની સ્તુતિ છે. | સકલહંત-શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજનું રચેલું આ ચૈત્યવંદન છે. એમાં ચોવીશ તીર્થંકરની જુદા જુદા ક્ષેકથી રસ્તુતિ કરવામાં આવી છે. પફખી, માસી અને સંવછરી પ્રતિક્રમણમાં ચૈત્યવંદન તરીકે બોલાય છે. અજિતશાતિ-શ્રી નંદિષેણસૂરિજીનું રચેલું આ અજિતનાથ અને શાન્તિનાથનું ભેગું સ્તવન છે. શ્રી શત્રુંજય ઉપર આ બને ભગવાનનાં દહેરાસર સામસામાં હતાં, પણ આ સ્તવન પ્રથમ બોલતી વખતે તે એક હારમાં આવી ગયાં એમ કહેવાય છે. અહતશાન્તિ–ભગવાન જન્મે છે ત્યારે તેમને મેરુપર્વત ઉપર નહવરાવવા ઇકો અને દેવતાઓ લઈ જાય છે. ત્યાં તેમને ન્હાવરાવ્યા પછી તેઓ આ શાન્તિ પાઠ બેલે છે. આની અંદર અનેક જીવોની અનેક પ્રકારે શાનિત ઇચ્છવામાં આવી છે. આ શ્રી નેમનાથ પ્રભુની માતા શિવાદેવીએ દેવીપણામાં રચેલી છે એમ કહેવાય છે. * દાનેશ્વરી, તપસ્વી વગેરે. + રચ્યું પણ તે જ વખતે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy