________________
: ૨૮ :
આવશ્યક મુક્તાવલી : સાતમો ખંડ તમય થઈને, ત૮૫ તીવ્ર અધ્યવસાયવત થઇને, તેના અર્થમાં ઉપયુક્ત થઈને, તેને જ પ્રિય માનીને, તદ્દભાવના ભાવિત થઈને, અન્યત્ર કોઇ પણ સ્થાને મનને ચંચળ નહીં કરતાં એક મનવાળા થઈને, ઉભય કાળ આવશ્યક પ્રતિક્રમણ કરવું. આ પ્રમાણે આવશ્યક કરતો ભવ્ય પ્રાણુ સંસારસમુદ્રને પાર પામે એ નિઃશંક છે. ( ૯ મુહપત્તિ–એક વેંત અને ચાર અંગુલ લાંબી-પહોળી; તેમજ ચરવળે બત્રીશ અંગુલ લાંબો એટલે દાંડી ગ્રેવીસ અંગુલ લાંબી અને દશીને ગુચ્છો આઠ અંગુલ લાંબો હોવો જોઈએ.
પ્રતિક્રમણનાં સૂત્રે વિગેરેને સંક્ષિપ્ત
ભાવાર્થ
નવકાર (પંચમંગલસૂત્ર)–આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એ પાંચ પરમેષ્ટીને નમસ્કાર કરવામાં આવે છે. એથી સર્વ પાપ તથા વિદ્યા દૂર થાય છે.
પંચિંદિય-આમાં આચાર્યના છરીશ ગુણનું વર્ણન છે અને ક્રિયા કરતાં પ્રારંભમાં સ્થાપના સ્થાપતી વખતે બેલાય છે.
પ્રણિપાત (ખમાસમણુ)-આથી દેવગુરુ વંદન કરાય છે. ઈચ્છકાર-આથી ગુરુને સુખશાતા પૂછાય છે.
ઇરિયાવહિયં, તસ્ય ઉત્તરી -આથી હાલતાં ચાલતાં લાગેલાં પાપને દૂર કરવામાં આવે છે.
અન–આમાં કાઉસ્સગ્નના સોળ આગાર(છૂટ)નું વર્ણન છે. લેગસ્સ (નામસ્તવ)– આમાં વીશ તીર્થંકરની નામપૂર્વક સ્તુતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org