________________
તદુપરાંત તેમના તરફથી પ્રત્યેક વર્ષે જૈન તીર્થોના બહમૂલા, દાર્શનિક ચિત્રકળાથી સુશોભિત નવાનવા કેલેન્ડરે, કેટોગ્રાફીક કાગળ ઉપર “સમરો મંત્ર ભલે નવકાર” “દે દિન કા મેમાન “હિતશિક્ષાને સુંદર થાળ આદિ સુંદર ઉપદેશમય સાહિત્ય પ્રગટ કરવામાં આવે છે, જે અનેકેને તીર્થયાત્રાની પ્રેરણા આપે છે અને ઉપદેશામૃતનું પાન કરાવે છે. આજસુધી તેમના તરફથી પાવાપુરી, રાણકપુરજી, શત્રુંજય, સમેતશિખરજી અને સરસ્વતી દેવીના ચિત્ર બહાર પડી ચૂક્યા છે.
આ પ્રમાણે તેમણે દેવ, ગુરુ અને ધર્મની ભક્તિમાં, સુંદર સાહિત્ય પ્રગટ કરવામાં, સમાન ધર્મીઓને ગુપ્ત સહાયમાં, ધાર્મિક ચઢાવાઓમાં, આયંબીલખાતામાં, પાલીતાણા ભાતાખાતામાં લક્ષમીને સુંદર ઉપયોગ કરી તેની સફળતા કરવા ભાગ્યશાલી થયા છે. તેમના તરફથી આજે પાંચેક વર્ષ થયા લીમડીમાં કાર્તકી પૂર્ણિમાના દિને સકલ સંઘને ભાથું પણ આપવામાં આવે છે. તદુપરાંત ઈતર ગરીબ વર્ગને પણ મીઠાઈ રોકડ વિગેરેનું અનુકંપાદાન કરી તેમને પણ જૈન ધર્મની અનુમોદના કરવાની સુંદર તક આપી છે.
આ રીતે તેઓ ઈહલેકની સાધના સાથ યથાશક્તિ પરલેકની પણ સાધના કરી માનવ જીવનની યત્કિંચિત્ સફળતા કરી રહ્યા છે, જે પૂ. મુનિરાજ શ્રી મહિમાવિજયજી મહારાજના ધર્મોપદેશની પ્રેરણાને આભારી ગણાય.
જેને દુન્યવી સુખ કહેવામાં આવે છે, તે સઘળા જ મુખે તેમને પૂર્વકૃત પુણ્ય પ્રભાવે મલ્યા છે. તેમને સંતતિમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org