________________
તથા સેવાભાવી પૂ. મુનિ શ્રી સુશીલ વિજય મ. ઠાણું ત્રણનું ચાતુમાસ શ્રી સંઘની આગ્રહભરી વિનતિથી કટમાં થયું હતું. તે ચાતુર્માસ અનેકવિધ ચિરસ્મરણીય ધર્મપ્રભાવના સાથે લગભગ પૂર્ણ થતાં ભવિતવ્યતાના વેગે પૂ. મુનિરાજ શ્રી મહિમાવિજયજી મહારાજને સુંદર સમાગમ થતાં પ્રસંગે પાત તેમની અવારનવાર ધર્મ વિષયક વૈરાગ્યવર્ધક સચેટ પ્રેરણને પામી તેઓ દેવાધિદેવની ભક્તિમાં અત્યંત તલ્લીન બનવા સાથ ગુરુભક્તિની પણ મહત્તાને સમજી શક્યા.
તેમના સમાગમ પછી આજસુધી ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ચાતુર્માસ દરમ્યાન તથા શેષ કાળમાં લગભગ પચીસેક વખત આવી, સુવિખ્યાત ગવૈયાઓ અને વિવિધ વાજિંત્ર દ્વારા પ્રભુપૂજા અને ભાવનામાં અપૂર્વ ઠાઠ જમાવવા માટે પિતાની લક્ષ્મીને અઢળક વ્યય કરી અનેકને સમકિતની પ્રાપ્તિ અને નિર્મળતા કરાવવામાં કારણભૂત બની અથાગ પુણ્ય ઉપાર્જન કર્યું છે. ચાર પાંચ વખત તે ઝવેરાતની આંગી કરાવી જેન જૈનેતરોને દર્શનની અપૂર્વ તક આપી હતી. જૈનેને ધન કરતા ધર્મ ઉપર કેટલે પ્રેમ છે, તેની સોને ઝાંખી થઈ હતી.
તેઓ પિતાની તથા પોતાની સંતતિને જન્મદિન બની શકે ત્યાં સુધી ગુરુમહારાજની નિશ્રામાં જઈ પૂજા, આંગી, ભાવના અને સાધર્મિક વાત્સલ્ય આદિ ધાર્મિક અનુષ્ઠાને દ્વારા જ ઉજવી દેવ, ગુરુ અને ધર્મને મહિમા વધારવા સાથે પિતાની લક્ષમીને સદ્વ્યય કરી રહ્યા છે, જે સી કેઈ માટે અનુમોદનીય ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org