________________
તેઓ લગભગ ૧૯ વર્ષની વયે મેરવાડ (પ્રવ)ના રહીશ ધર્મચુસ્ત શા. ન્યાલચંદ માણેકચંદના સુપુત્રી કાન્તાબેન સાથે લગ્નગ્રન્થીથી જોડાયા હતા. ભાઈશ્રી છોટાલાલ નાની ઉમ્મરથી જ વૈષ્ણવ કુટુંબમાં ઉછરેલા હેઈ તેમનામાં જૈન ધર્મના સંસ્કારની અને ક્રિયાકાંડની ઊણપ હોય એ સ્વાભાવિક હતું, પરંતુ શ્રીમતી કાન્તાબેનના જીવનમાં બાલ્યાવસ્થાથી જ તેમના ધર્મપ્રેમી પિતાશ્રીએ ધાર્મિક શિક્ષણ સાથે ક્રિયાકાંડના એવા તે સુંદર સંસ્કારે નાંખ્યા હતા કે જેના પ્રભાવે આજે તેમનામાં સુશીલતા, ગંભીરતા, સમતા અને તપ જપ પ્રત્યેને રાગ આદિ અમૂલ્ય ગુણે દષ્ટિગોચર થાય છે. તેમના સંસ્કારી જીવનની છાપ સી કેઈના ઉપર આજે તેમના કુટુંબમાં પડેલી માલુમ પડે છે. તેમની સંતતિ દિનપ્રતિદિન ધર્મનિષ કેમ બને તે માટે તેમની પ્રેરણું હંમેશાં ચાલુ જ હોય છે. તેઓ આજે પણ પૂજા–સામાયક-પ્રતિકમણ અને વિવિધ તપશ્ચર્યાએ આદિ Wિાઓ નિયમિત કરવાનું કદી ચૂકતા નથી.
શ્રી છોટુભાઈના જીવનમાં તપ, જપ અને ક્રિયાકાંડના સંસ્કાર ભલે ઓછા હશે પરંતુ તેમનામાં જિનપૂજાની ટેક અપૂર્વ કેટિની છે, તેમ દેવગુરુધર્મની વફાદારી સાથે ક્રિયાકાંડ પ્રત્યેનું તન, મન અને ધનથી સંપૂર્ણ અનુમોદન તે છે જ.
વિ. સં. ૨૦૦૨ નું ચાતુર્માસ વ્યા, વા સમર્થ સૂત્રધાર, પરમ શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજની પુનીત આજ્ઞાને પામી દેશનાદક્ષ શિષ્યરત્ન પૂ પન્યાસજી મહારાજ શ્રી પ્રવીણવિજયજી ગણીવર મહિમાસંપન્ન પૂ. મુનિરત્ન શ્રી મહિમાવિજયજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org