________________
આ પ્રમાણે આ લેક અને પરલોકની સાધનાને કરતા ચંચળબેને વિ. સં. ૧૯૬૫ના આસો વદી પના દિને એક સુપુત્રરત્નને જન્મ આપે, જેમનું શુભ નામ છેટાલાલ રાખવામાં આવ્યું. માતપિતાના સુંદર લાલનપાલન અને વાત્સત્યતાની શીતળ છાયામાં તેઓ લગભગ સાત વર્ષના થયા ત્યાં તે તેમના પિતાશ્રીએ પિતાની જીવનલીલાને સંકેલી પરલેક માટેની વિદાયગીરી લઈ લીધી.
હવે તે પતિને સાથ ગુમાવી બેઠેલા ચંચળબેનના શીરે સંસાર-વ્યવહારને સર્વ બેજે આવી પડ્યો. તેમની ધીરજ અને સહનશીલતાએ ચંચળબેનને માર્ગ એટલે બધા નિષ્ફટક બનાવ્યું કે તેમણે કઈ પણ પ્રસંગે જરા પણ નહિ મુંઝાતા સમતા અને સુખપૂર્વક ઘણે કાળ નિર્ગમન કર્યો. માતુશ્રીના શુભ આશીર્વાદથી કહો કે છોટાભાઈના પુણ્યોદયથી કહે ગમે તેમ કહે એટલે તેમના જીવનની સઘળી ચિન્તા તેમના મામા ભાઈશ્રી ખીમચંદ નાગરદાસ બહુ જ કાળજીપૂર્વક કરતા. તેમને ત્યાં જ રહી વ્યવહારીક અભ્યાસ મેટ્રિક સુધી કરી જરા પગભર થયા ત્યાં તે ચંચળબેન પણ સ્વર્ગવાસી બન્યા.
હવે તે સમયને ઓળખી શ્રીયુત છટાભાઈએ પિતાને અભ્યાસ આગળ નહિ લંબાવતા કે ધંધામાં નિષ્ણાત બનવા માટે શરૂઆતમાં તેમણે કાગળના જથ્થાબંધ વ્યાપારીને ત્યાં સર્વિસમાં જોડાવાનું પસંદ કર્યું. થોડા જ વખતમાં તેઓ પિતાની અક્કલ હોંશિયારીથી તે વ્યાપારમાં કુશળતા પ્રાપ્ત કરી લઈ સ્વયં કાગળના વ્યાપારી બન્યા. પૂર્વકૃત પુણ્યદયે તેઓ તેમાં સારી પ્રગતિ કરી શક્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org