________________
: ૯૮ -
આવશ્યક મુક્તાવલી : તૃતીય ખંડ માતા ત્રિશલા સેહતી છે, પિતા સિદ્ધારથ રાય; હરિ લંછન જિનછતણું રે, સાત હાથની કાય. જિનેશ્વર. ૩ ક્ષત્રિયકુંડે અવતર્યા રે, જિન પરમ દયાળ; મહેર કરી મુજ ઉપરે રે, છેડા સવિ જંજાળ. જિનેશ્વર. ૪ માનવ ભવમાં પામી રે, જિન તુજ દેદાર; સંસારે હું બહુ ભમે રે, મયે અનંતી વાર. જિનેશ્વર. ૫ આત્મ કમલમાં ધ્યાવતા રે, લબ્ધિ પ્રવીણુ સુખકાર; તુજ મહિમાથી મુજને રે, વત સદા જયકાર. જિનેશ્વર. ૬
૨૮. શ્રી સિદ્ધચક્ર સ્તવન.
(રાગજગજીવન જગ વાલ હે.) ઓળી કરે ભવિભાવથી, સિદ્ધચક સુખદાય લાલ રે; નવપદ મંત્ર પ્રભાવથી, શિવસુખ શીધ્ર થાય લાલ રે. ઓળી. ૧ વિધિપૂર્વક એ આરાધતા, પાતિક સવિ ફરે જાય લાલ રે; રેગ શોક ફરે ટળે, ઈછિત પણ સવિ થાય લાલ રે. ઓળી. ૨ આથી તે આદરે, મળશે શાશ્વત ધામ લાલ રે, કપટ રહિત ક્રિયા કરે, સરશે તેહના કામ લાલ રે. એળી. ૩ મયણા અને શ્રીપાળજી, આરાધતા એક તાન લાલ રે; ગુરુ વયણને સાંભળી, મેળવ્યું સાચું જ્ઞાન લાલ . એન. ૪ આત્મકમલ લધિત, ભંડાર છે ભરપૂર લાલ રે, પ્રવીણ મહિમાને આપજે, આતમતણું અતિ નૂર લાલ રે.
ઓળી ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org