________________
૧૯. નેમનાથ રાજીમતીના ચોવીશ ચોક.
૧૯મી સદીના કવિ અમૃતવિજયે સંવત ૧૮૩૯માં ઉપરોક્ત રચના ર૪ ઢાળમાં કરીને મનાથ ભગવાનનું ચરિત્રાત્મક નિરૂપણ કર્યું છે. નેમનાથ વિશે વિવિધ સંજ્ઞાવાળી કૃતિઓ પ્રાપ્ત થાય છે તેમાં “ચોક” સંજ્ઞાવાળી આ રચના કાવ્ય પ્રકાર તરીકે નવી ભાત પાડે છે. તેના દ્વારા કવિ કલ્પનાનો પણ વિશિષ્ટ પરિચય થાય છે. સમૂહમાં ગાઈ શકાય તેવી દેશીઓમાં રચના કરીને ભક્તિ માર્ગનું અનુસંધાન થયું છે.
નેમનાથ રાજીમતીના ચોવીશ ચોક.
(સુણ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને એ દેશી) એક દિવસ વસે નેમકુમર નિજ મિત્ર સંઘાત આવૈ, સહુ રંગ રસે નવનવ કૌતિક જોતાં આનંદ પાર્વ, તિહાં દ્વારિકા નગરી વલાઈ, રચના કરી કાનડકાલાઈ, જિહાં આવઇ આયુધ શાલા. (૧) પ્રભુ ચક્રને ચાપ ગદા નિરખી, ફેરવી તાણી ગ્રહીઆકરથી
- શંખનાદથી મિત્ર થયાં હરખી...(૨) એક. તિર્ણ નાદે બ્રહ્માંડ ફૂટ્યા છે, વલિ હયગય બંધન તૂટયા છે,
સુણ શ્રીપતિનાં પગ છૂટયા છે...(૩) એક. તિહાં તુરત જઈને પછતાવૈ, અતુલી બલ નેમજી સોહાવે,
પછી અમૃત વયણે બોલાવૈ...(૪) એક.
ઢાળ-૨ ભલે દયા કરી રાજ પધાર્યા, આજ તે કાંઈક જેહવું આવો દલ ભરી રમાઇ રામત, આપણે બલ છે કેહવું આપણ શિશુકડા પરિહરીશું, કહે રાજની તૈ તેં કરીશું,
જિન ભાંખે ભુજબલઉં ધરી છે...(૧) ભલે.
૧૯૨
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org