________________
૧૬. સિદ્ધાંત હુંડી ગીતા
અજ્ઞાત કવિ કૃત સિદ્ધાંત હુંડી ગીતામાં દાન ધર્મના પાંચ પ્રકાર અને ઉપધાન તપ કરીને સૂત્રોનો અભ્યાસ કરવા માટેની જિનવાણીનો સમાવેશ થયો છે. જિનવાણીનો સ્વીકાર કરવો તે દૃષ્ટિએ હુંડી છે અને કેવળી ભાષિત વચન છે. એટલે એ ગીતા પણ છે એમ અર્થ સ્પષ્ટ થાય છે. કૈલાસ સાગર સૂરિ જ્ઞાનમંદિર, કોબાથી આ હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે તે પ્રગટ કરવામાં આવી છે.
૧૬ સિદ્ધાંત હુંડી ગીતા
વીર જિણેસર કેવલસિસર ઘણી, સમોસરણ જસ મહિમા અતિ ઘણી ...(૧) અતિ ઘણી મહિમા સ્વામી બછઈસઈ, સમોસરણ અલંક૨ી ચિહું રૂપિ, ચિહું દિશી કરઈ દેશના દેવ કોડિહિ પરિવરી તિહાં છત્ર ચામર, ધજય પતાકા કિત્તિ ત્રિભુવન ઉલ્લસઈ, પૂરવ દિશ દાન પંચવિધ, ભવિક આગલ ઉપદિસઈ...(૨) અભય સુપાત્રય દાન સોહામણો એ, દોઈ આપઈ સુખ શિવપદ તણા...(૩) શિવતણાં સુખ બિહું દાનિ લહિઈ, જુદઈજુદઈ વરવાસના દીનાનુકંપા ચિત્ત કીરતિદાન દિઈ સુખ લોગના
અન્નાથ દુર્બલ દીન દુઃખિત, પ્રતિઈ અનુકંપા કિર
અરિહંત અન્ન સુવન્ન કરું, દાન દીઈ સંવત્સરી.(૪)
પરિહરી સંગતિ ફૂડ કુમતિ તણી, નિસુણી હુંડી સાચી શ્રુતતણી...(૫)
શ્રુત તણી સાચી સુણીએ હૂંડી, કુમતિ ભૂલઈ કાં ભમઈ પ્રથમ શ્રી આચારાંગઈ વલી લહઈ સાતમઈ શ્રી ચંગ માંહિ...(૬)
પ્રગટ હુંડી દાન અનુકંપા તણી, જે અધમ ઉત્થાપઈ અજ્ઞાની
૧. કીર્તિ, ૨. જેથી, ૩. સાતમું ઉપાસકદશાંગ આગમમાં
૧૪૦
તે ભવસ્થિતિ અતિ ઘણી...(૭)
Jain Education International
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org