SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મૃતિજ્ઞાન ? ૪૭ આવરણ આવી જવું તે છે; અને ગાઢ આવરણનાં કારણે છે: (૧) પૂર્વ દેહ છોડતાં જીવને ઉપગ દેહ અને બાહ્ય પદાર્થોમાં ચીટકી રહીને દેહત્યાગ થ, (૨) ગર્ભાવાસનાં દુઃખનું વદન દેહાસક્તિપૂર્વક થવું, (૩) જન્મવેળાની વેદના પ્રસક્તભાવે સહેવી, (૪) “દેહ તે-હું” એ ભાવનું નિરંતર સ્મરણ. આ પ્રમાણે મુખ્યપણે અને વિશેષ કરીને બહુલતાએ બનતું હોવાથી પૂર્વભવની સ્મૃતિ થવી દુર્લભ થાય છે. કેઈ વિરલા જીવને જાતિસ્મરણજ્ઞાનને ઉત્તમ લાભ મળે છે; સર્વને તે લાભની પ્રાપ્તિ થવી અસંભવિત છે. નજાતિસ્મૃતિજ્ઞાન કેને થવું સંભવે છે? મતિજ્ઞાનાવરણ ગાઢપણે બંધાવાનાં કારણે ઉપર જણાવ્યાં, તેથી ઊલટું ન્યૂનાવિકપણે બન્યું હોય તે પૂર્વભવની સ્મૃતિ આવવી શક્ય થાય છે. પૂર્વદેહ છોડતાં એટલે મરણ સમયે જીવન ઉપયોગ દેહમાં તીવ્રપણે વળગી રહ્યો ન હોય, દેહાસક્તિની પ્રબળતા કેટલાક અંશે મંદ હોય, તથા ન દેહ ધારણ કરી ગર્ભવાસમાં રહેતાં તથા જન્મ થતાં દેહાસક્તિનું કોઈ પ્રકારે મદપણું હોય તે જાતિસ્મૃતિજ્ઞાન તેના પ્રમાણમાં પ્રગટે છે. નિયમ એ છે કે જેટલા અંશે દેહાસક્તિનું તીવપણું, તેટલા અંશે જ્ઞાનાવરણનું ગાઢપણું અને જેટલા અંશે દેહાસક્તિનું મંદપણું, તેટલા અંશે જ્ઞાનાવરણનું જૂનપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy