SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ...તેમ જીવમાંથી શિવ થાય : ર૯ છે, તેથી નરમ થયેલી વૃત્તિઓને લીધે જીવની પાત્રતા વધે છે. પછી જેમ પિચી થયેલી માટી ચાકડામાં ચડે છે, તેમ સત્પાત્રતા પામેલો જીવ સત્સંગમાં જાય છે. જેમ ઉપકારી નિમિત્તકર્તા કુંભાર દંડથી ચકડો ફેરવે છે તેમ ઉપકારી બધí નિમિત્ત એવા પુરુષ વચનરૂપી આજ્ઞા (દંડ) ફરમાવે છે. જેમ ચાકડે રોળ ગોળ ફરે છે, તેની અસરને લીધે માટી વધુ પિચી, લીસી, મુલાયમ, જેમ ઘાટમાં વાળવો હોય તેમ વાળી શકાય તેવી અને જેવી આકૃતિ પાડવી હોય તેને બરાબર યોગ્ય થાય છે, તેમ જ વારંવારના સત્સંગ અને સસમાગમના ચેગની અસરથી વધારે ને વધારે કોમળ, નગ્ન, સરળ, વિવેકસંપન્ન અને જે શુદ્ધ પર્યાય પ્રાપ્ત કરવી છે તેને ચગ્ય થાય છે, તેનામાં દયા, શાંતિ, સમતા, ક્ષમા આદિ ગુણે અંશે અશે વધતા જાય છે. જેમ કુંભારના નિમિત્તથી નરમ, મુલાયમ, રસસક્ષર, ચીકણી માટી ધીમે ધીમે આકાર (૫ ) બદલતાં બદલતાં ઘડાના ઈષ્ટ આકારે થતી જાય છે, તેમ સહુરુષને નિમિત્તથી વિનમ્ર અને સરળ જીવ દોષોને હળવા કરી છેદતે, સ્વચ્છ અને પ્રમાદને ટાળતો, ભગવાનરૂપ પુરુષમાં (શ્રી સદગુરુદેવમાં) પ્રેમ અને શ્રદ્ધાના બળને આત્મભાવે વધારતો અને અર્પણતાના પંથ પર ડગ ભરવા વધુ ને વધુ ઉત્સાહિત થતો શિવના ઈષ્ટ ધ્યેય તક્ જ જાય છે. અંતરંગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy