SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ઃ આધ્યાત્મિક નિબંધ આવીને મળે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે જે પુણ્ય ઉદયમાં આવી ફળસમુખ થયું હોય તે ત્યાં પુરુષાર્થની શી જરૂર છે? અર્થાત્ જેમ પુરુષાર્થ એની મેળે સહજપણે થાય છે; અને જે પુણ્ય ફળસન્મુખ ન થયું હોય એટલે તેને ભેદય ન હોય તો ત્યાં પુરુષાર્થ કરવાથી શું વળે? અર્થાત્ મહેનત માથે પડે છે. મઘાતી કર્મે આયુષ્ય, નામ, ગેત્ર અને વેદનીય છે; તેમાં આયુષ્ય તથા વેદનીય સંબંધના પુરુષાર્થનું જે અસફળપણું છે તે ઉપર જણાવ્યું છે અને જ્યાં સફળપણું દેખાય છે ત્યાં તે પ્રાધના અનુકૂળ ઉદયાકુમાર હેય છે તે પણ જેમ છે તે દર્શાવ્યું છે. હવે નામ અને ગાત્ર કર્મો સંબંધી જોઈએ. ગતિ નામકર્મના ઉદયને લીધે તેને એગ્ય અને અનુરૂપ દેહ, દેહનાં અંગઉપાંગો, દેહની રચના, સંઘયણ, દેહના રંગ, તેની સુરુપતા-કુરુપતા, દેખાવ, ઈન્દ્રિયે વગેરે મળે છે; અંગઉપાંગે ખામીવાળા કે ખામીરહિત મળે છે. ખામીવાળા ભાગને ફેરફારથી સુધારવા જે પ્રયોગ થાય તેની સફળતા પણ પૂર્વોપાર્જિત પુણ્યના ઉદય ઉપર આધારિત છે. તેવા પ્રારબ્ધના શુભ ઉદય વિના જીવને સ્વતંત્ર ઉદ્યમ ઉપયોગી થતો નથી. ઊંચા કે નીચા કુળમાં જન્મ થ તે ગોત્રકર્મને આધીન છે. તેમાં ફેરફાર અસંભવિત છે. જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતકર્મોના બંધ થવા માટે જે મૂળ મુખ્ય કારણે છે અને જે પરમકૃપાળુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy