SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા ઃ ૨૩૯ આ પ્રમાણભૂત વચનનાં અવલંબને પ્રેમીભક્ત પ્રેમની પૂર્ણતા સાધવાના કાર્યમાં ઉદ્યમી થાય છે, તે ઉત્તરોત્તર હદયની અને બુદ્ધિની તેં પણ શ્રી ગુરુનાં શ્રી ચરણમાં મૂકતો જાય છે, તે કાર્યની વિશેષ સફળતા માટે બીજા ઉપકારી નિમિત્તોને આશ્રય પણ તે કરે છે; તેને અનુભવથી લાગે છે કે હદયની સોંપણું કરવાથી શૂળીની પેઠે પીડા આપતા શલ્યા દૂર થાય છે અને બુદ્ધિની મેં પણ કરવાથી મગજ પરનો ભાર હઠવાથી મીઠી હળવાશનું વદન થાય છે. આ બંને પ્રકારની સેંપણીના ગર્ભમાં અર્પણતા એટલે ઈછાની સોંપણી રહી છે તે વાત હવે સુવિદિત છે, તેમ છતાં તે અર્પણતા તેના મૂળભૂત શુદ્ધ સ્વભાવવાળી હેતી નથી. અર્થાત્ વ્યાખ્યામાં અર્પણતા એટલે ઈચ્છાની સુંપણું એમ જે કહ્યું છે, તેવા ચેખા સ્વરુપની હેવી સંભવિત નથી. પ્રેમમાર્ગને પ્રેમી પ્રવાસી માર્ગના બે ભાગનું અંતર કાપે છે અને એક ભાગનું અંતર બાકી રહે છે ત્યારે તે મહાભાગ્યવંત પ્રભુપ્રેમી સાચા સ્વરુપની અર્પણતાનો અધિકારી થાય છે. આ વિધાનને વિશેષ સમજવા માટે આ નિબંધના પ્રથમ ભાગમાં પ્રભુ વરુપ મહાપુરુષ માટે હૃદયમાં બીજારોપણ થયા પછી પ્રેમના વિકાસથી મુખ્ય ગુણેના પ્રાકટયનો પ્રકાર વર્ણિત કરેલ છે, તે જોઈ જ લાભદાયી થશે. ત્યાં સરળતા સુધીનાં પ્રથમના ઉઘડતા આઠ ગુણે દર્શિત કર્યા છે તે વિભાગને પ્રેમપંથને પહેલે ભાગ કહી શકાય. ત્યાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy