SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪: આધ્યાત્મિક નિબંધો એવી દશાની ઉપલબ્ધિ થાય છે અને તે આખરે પરમાર્થથી પણ ઉચ્ચતમ રિથતિની પ્રાપ્તિ કરાવે છે. આટલા લેખ પરથી એ વાત દષ્ટિમાં આવી હશે કે સંસારી મનુષ્યને પ્રેમની માત્રામાં આગળ વધવા માટે અન્ય સદેહે જીવંત એવી વ્યક્તિની ખાસ ખાસ જરૂર છે. જે વસ્તુ નજર સમક્ષ ન હોય, અથવા નજરે જોયેલી ન હોય, તે વસ્તુ પ્રત્યે પ્રેમ થવો અત્યંત કઠણ છે જે વસ્તુ અમૂર્ત કે અરૂપી છે, દેખાતી નથી તે ત્યાં પ્રેમને ભાવ થવે કેમ શક્ય થાય ? અનાદિથી જીવને અભ્યાસ પ્રત્યક્ષપણે વર્તતા પદાર્થોમાં રાગ વા નેહ કરવાને છે એ ન્યાયયુક્ત વાત સમજવી સાવ સહેલી છે. તે જ ન્યાયથી પ્રેમ કરવા માટે પ્રત્યક્ષપણે વિદ્યમાન એવી વ્યક્તિની આવશ્યકતા છે. (અંતર્દષ્ટિ ખૂલ્યા પહેલાં અમૂર્ત કે અરૂપી પદાર્થ પ્રત્યે સાચે પ્રેમ આવી શકતો નથી); અને તે વ્યક્તિ પોતાના પૂર્વના ઋણાનુબંધના સંબંધવાળી હોય છે. તે વ્યક્તિના અસ્તિત્વ વિના, તેના વિદ્યમાનપણા વિન, તેના પ્રત્યક્ષપણા વિના, તેના સમાગમ વિના પ્રેમની લય આવી શકતી નથી અથવા આવવી અત્યંત કઠણ છે. પરમાર્થ સાધના માટે પણ આ જ નિયમ અબાધિતપણે રહ્યો છે. જે પરમાર્થ પ્રેમી સત્ જિજ્ઞાસુ છે અને જેના ત૨માં પવિત્ર આત્મદર્શનની અભિલાષા વતે છે, તે ભલે તેની સાધનાની પ્રાથમિક ભૂમિકામાં શ્રી સિદ્ધ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy