SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂણતા ઃ ૧૮૯ હારમાં એ પ્રકારે ફના થનાર પ્રેમપીયૂષમાં ચકચૂર એવા લયલા-મજનુ, શીરી ફરહાદ આદિ મનુષે ઇતિહાસ પ્રસિદ્ધ છે. અધ્યાત્મ ભાષામાં કહેવાય છે કે પ્રેમને પંથ છે નિરોથ થવાનો, પર વસ્તુના મેહની ગ્રંથિને સર્વાગે છેદવાનો. પ્રેમને માર્ગે જતાં જે સમસ્તની આહુતિ આપી શકે છે અથવા દેહનું મમત્વ છેદીને મરે છે, તે જ સાચું જીવે છે. પ્રેમની દુનિયા જ એવી છે કે જેમાં નિસ્પૃહ અને નીરોગી પ્રેમપાત્રને પ્રબળ અને નિર્મળ પ્રેમી જીવન અને મરણ સંબંધનો વિક૯૫ ભૂલી જાય છે, તેના અંતરમાં તે બે અવસ્થાઓ વચ્ચે ભેદ અદશ્ય થાય છે અને ત્યાં માત્ર એક શાશ્વત પ્રેમનું જ શાશ્વત જીવન છે. પ્રભુપ્રેમ હોય ત્યાં જીવનમાં હર્ષ છે અને મરણમાંય હર્ષ છે. મરણ વેળાએ અથવા કહો કે તેના સુઅવસરે પ્રભુપ્રેમીને પ્રેમામૃતમાં તરબળ સ્થિતિ હોવાને કારણે પ્રભુ સન્મુખ આવી દર્શનનો અપૂર્વ લાભ આપે છે અને તેથી પ્રભુ પ્રેમીને અચિંત્ય પ્રકારને હર્ષ થાય છે. તેનો અંતરાનંદ અસીમ હેય છે. જ્યાં પ્રભુપ્રેમ નથી, પ્રેમને સાચો ધબકાર નથી, ત્યાં તેઓ જીત છતાં મૂ આ જેવા છે; કેમ કે તેઓ જીવનના પ્રાસમાં પ્રભુપ્રેમથી વંચિત હઈ મરણના ભયથી નિરંતર ધ્રુજતા હોય છે, એટલું જ નહીં પરંતુ પ્રભુપ્રેમમાં આવવા માટેની જાગૃતિ રથે જીવનમાં આવતી કટીઓ તેમને હતાશ અને મૃતપ્રાય જેવી દુઃખદાયક સ્થિતિમાં મૂકી દે છે. જે તે વેળાએ તેમને જીવ બોધ પામી પ્રભુ પ્રેમ માટે જાગ્રત થાય, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy