SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તે નજરે જોઈને અમારામાં પણ જે શ્રદ્ધાનું તેજ પથરાયું હતું તે કેવી રીતે વિસ્મૃત થાય અને વળી એવા પ્રસંગેએ તમારા હદયમાં દયા, ક્ષમા અને શાંતિના વધેલા અંશેથી તમે પવિત્ર હદયી થયાં છે એવી ખાત્રી મળી રહેતી હતી. તેથી તે પવિત્ર હૃદયી મા ! અમે તમને પરમ પ્રેમે વંદન કરી કૃતાર્થ થઈએ છીએ. હે શાંતસ્વભાવી પ્રેમાળ મા ! માંદગીનાં ચેતાવનારાં વાવાઝોડાંના પરિણામે, પૂર્વ તમે જે સંસાર, દેહ અને ભેગ સંબંધી વૈરાગ્ય બોધ લીધું હતું તેમાં એકાએક ખૂબ દઢતા થઈ, તમે સંસારગત ભાવેને સરાવવાને મંગલ આરંભ કર્યો, મેહભાવ ક્ષીણ કરવાને ઉત્સાહ વધાર્યો અને પરકથાના રસને નીરસ કરવાને રસપૂર્વક પ્રયત્ન આદર્યો. દયાળુ મા ! દાનનું અસીમ માહામ્ય સમજી તમે યથાવકાશ ગુપ્તતાએ ઘણું દાન કર્યું હતું અને વિશેષતા તે એ છે કે તમે અમને વ્યવહાર અને પરમાર્થના લાભાર્થે સહાયભૂત થવાની પ્રેરણા અને આશીર્વાદ સહિતની સંમતિ આપીને અમારા ઉપર ઉપકાર કર્યો છે, તે અમે ભૂલી શકીએ તેમ નથી. તમે તે હવે અન્ય સર્વ ભાવને ગૌણ કરી મુખ્યતાએ નિજભાવમાં રહેવાનો પુરૂષાર્થ પ્રાધાન્ય કર્યો. આત્માનું જે શાંતરસમય સ્વરૂપ, તેના જે અમૃતસ્વરૂપ એકાંત શાંતિ, તેની જે જ્ઞાન-દર્શન-ચારિત્રમય એકાંત સ્થિતિ, તેમાં વિહરવા અર્થે યથાશક્તિ ઉગ્ર પુરૂષાર્થ તમે ઉત્સાહપૂર્વક ઉપાડ્યો. તે પુરૂષાર્થની વેળાએ શ્રી મહાવીર, કૃપાળુ દેવ, શ્રી સદ્ગુરૂદેવ, આત્મપ્રભુ શાંતિઃ ૐ શાંતિઃ એવાં સ્મરણ-ચટણમાં ઝૂલતાં તમારે આત્મા ઠરી શાંત થયા. આત્માના શાંતભાવને અમારા વારંવાર નમન હો, નમન હો! હે અમૂલ્ય વારસાનું દાન દેનાર દેવાનુપ્રિય દેવી! હે પરમ પૂજ્ય માતુશ્રી ! હે દયાની દેવી ! આખરે અમારા નબળા ભાગ્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy