SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ તમારામાં સમતલપણે રહેલી નિર્વેર બુદ્ધિ અને તેમની સાથે તમારે હેતાળ વર્તાવ, એ આદિ પ્રેમને વિસ્તારનાર ગુણે અમને, તમને વાત્સલ્યમૂર્તિ કહેવા લલચાવે છે. હે સદ્ધર્મપ્રેમી અને નેહસ્વરૂપી મા! પ્રતિષ્ઠિત, સુસંસ્કારી અને ધર્મિષ્ઠ કુટુંબમાં જન્મ થવાથી તમારામાં ધર્મશ્રદ્ધા અને ધર્મરૂચિ તે મૂળથી જ સહજપણે હતાં, પરંતુ સદ્ધર્મબીજને સત્યસ્વરૂપે ઓળખીને અને આરાધીને તેને પાંગરવા માટે તમારી વૃત્તિ ડી ઢીલમાં હોવાથી પરમાથે ભાગ્યવંત ઉદયકાળ વિલંબિત થતા હતા. આખરે ઉચિત કાળે કલ્યાણ માટેને અંદરને તમારો વેગ બહાર આવ્યું, તમારા સુભાગ્યને સુઅવસર આવ્યો. પ્રેરણાબળ માટે જે ચગ્ય નિમિત્તની જરૂર હતી તે પ્રાપ્ત થયું અને તમને પ્રભુજીના પરમ અનુગ્રહે સદ્ધર્મની સ્નેહપૂર્વકની આરાધનાનું જે સુંદર ફળ તે સંપ્રાપ્ત થયું. ત્યારથી અમે તમારા સ્વભાવમાં, તમારા ભામાં અને તમારા રાગદ્વેષનાં પરિણામે માં ઉત્તરોત્તર ઈષ્ટ પરિવર્તન નિહાળી શક્યાં હતાં. તેથી અમારાથી કહેવાય જાય છે કે ત્રિકાળ જયવંત વર્તી સમ્પરૂનાં અમૃતસ્વરૂપ વચને અને સદાય અમર રહે સદ્ધર્મપ્રેમ અને શ્રદ્ધા! હે પરમોપકારી પવિત્ર હૃદયી મા ! તમે આત્મારાધનથી જે અતુલ સુખ અને અપૂર્વ શાંતિ ઉપજે છે તેનું વેદન કર્યું, તેથી તમારાં પ્રિય બાળકે પણ પ્રભુપ્રિય થઈ શાંતરસમય સન્માર્ગને આરાધી પરમ સુખી થાય એવી મંગળ હેતુવાળી મંગળ ભાવના તમારાં હૃદયાકાશમાં પ્રકાશિત થઈ ગઈ એટલું જ નહીં પરંતુ તમે અમારાં ઉપર આરાધનના કાર્ય માટે પ્રેરણાની પુષ્પવૃષ્ટિ ફરી ફરી અવકાશે કરતાં રહીને પરમ ઉપકાર કર્યો છે તે કેમ ભૂલાય? વળી મૃત્યુસન્મુખ પહોંચાડે તેવી તમારી વારંવારની પીડાકારી માંદગીમાં તમે જે સમતા અને શાંતિને રાખી શકયાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy