SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ | આત્માનુભૂતિ : ૧૬૩ એ વાતની પણ સિદ્ધિ થશે કે સવજ્ઞાનીઓને અભિપ્રાય એક હોય છે, ભિન્ન ભિન્ન હેતે નથી. પ્રેમનો મહિમા અત્યંત બળવાનપણે દર્શાવતાં જિસસ ક્રાઈસ્ટના શિષ્ય સંત પિલનાં વચને અહીં આપતાં અંતરાનંદ થાય છે. સંત પિલ કહે છે કે “જે. હું મનુષ્ય અને પરીઓની અનેક જીભ વડે બોલતો હોઉં પણ મારામાં પ્રેમ ન હોય તે હું માત્ર અવાજ કરતી પિત્તળની ભૂંગળા બની જઉં છું. અને જે મારી પાસે ભવિષ્યકથન કરવાનું વરદાન હોય, બધા રહો જાણવા જેટલું જ્ઞાન હોય, તથા પર્વતને ચલિત કરવા જેટલી પૂરી શ્રદ્ધા હોય, પરંતુ જે મારામાં પ્રેમ ન હોય તે હું કંઈ જ નથી. પ્રેમ દયાવંત છે, પ્રેમ નિરપેક્ષ છે. પ્રેમ સત્યના પક્ષમાં રહી આનંદિત થાય છે. પ્રેમમાં સ્વાર્થ નથી, પ્રેમ સર્વસવને ભોગ આપે છે. પ્રેમ કદી નિષ્ફળતા આપતા નથી. તે વિકસી પૂર્ણ થાય છે. અત્યારે આપણે ખંડ ખંડ જાણીએ છીએ અને અમુક ભાગે ભવિષ્ય કથન કરીએ છીએ, પરંતુ જે પૂર્ણ છે તે જ્યારે પ્રાપ્ત થશે ત્યારે જે અપૂર્ણ છે તે અદશ્ય થશે, તેને અભાવ થશે.” આ નિબંધના અત્યાર પર્વતના લેખન પરથી આત્માનુભૂતિના ઉપાય સંબંધી જે પથદર્શક સૂચનોથી જે નિર્દેશ કર્યો, તે પુનઃ સારરૂપે જોઈએ. શ્રેષ્ઠ અને પરમ મંગલકારી ઉપાય કહ્યો તે એ કે કઈ સજીવનમૂતિ, પ્રેમમૂતિ ને શાંતમૂર્તિ પુરૂષને શરણે જવું; તે પુરૂષમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy