SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ઃ આધ્યાત્મિક નિબંધ સાચા મનથી ભરપૂર હદયથી અને આત્માના શુદ્ધ ભાવથી પ્રેમ કરશે, તે હું મારું સ્વરૂપ તમારી પાસે ખુલ્લું કરીશ.” સંત જિસસ પ્રકાશે છે - જે કોઈ મને જુએ છે, ઓળખે છે, તે પ્રભુને પણ જુએ છે, ઓળખે છે. હું અને મારા પિતા (પરમ પિતા, પરમાત્મા, પ્રભુ) બને એક છીએ. પિતાના હૃદયમાં મારો વાસ છે અને મારામાં પિતાને વાસ છે, એ શું તમે માનતા નથી? જે વચને હું તમને કહું છું; તે હું કાંઈ મારી પોતાની સત્તાથી કહેતા નથી, પરંતુ મારા હૃદયમાં પિતા નિવાસ કરીને રહ્યા છે, તેઓ જ સર્વ કાર્યો કરે છે. પરમ પિતા પિતાના મોકલેલ પુત્રને ચાહે છે અને તેમણે બધું જ તેના હાથમાં સોંપી દીધું છે, જે કેાઈ એ પુત્રને ચાહે છે તથા શ્રદ્ધા છે, તે અનંત જીવનને પામે છે.” એ સંત જહોનને બાધ છે. આમ અદશામજીવનના પ્રારંભ અને વિકાસ માટે, તેની પવિત્રતા અને નિર્મળતાની પ્રાપ્તિ અર્થે તથા તેની દિવ્યતા અને અલૌકિકતાને અનુભવ કરવા માટે ખ્રિસ્તી દર્શનમાં પણ પ્રેમ અને શ્રદ્ધાનું માહાત્મ્ય વિશિષ્ટતાએ સંગીત કર્યું છે, તેમ ત્યાં પિતાના પુત્ર એટલે પ્રભુના પ્રતિનિધિ પ્રત્યે અહેસાવ લાવી તેમને શરણે જવાને ઉત્તમ બેધ કર્યો છે. માર્ગ પામવાનું જે મૂળ છે, તેના ઉપર ભાર દઈ તે જ પ્રગટ કર્યું છે. આ ઉપરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy